ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપ બાદ ભારતને મળી શકે છે નવા કોચ, જાણો કોણ છે દાવેદાર

Text To Speech

ટીમ ઈન્ડિયા હાલ રોહિત શર્માના નેતૃત્વમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમવામાં વ્યસ્ત છે. વર્લ્ડકપ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે તેની જ ધરતી પર પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે. હવે આ શ્રેણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચીફ VVS લક્ષ્મણ આ T20 સિરીઝમાં ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળી શકે છે.

દ્રવિડનો કોન્ટ્રાક્ટ વર્લ્ડકપ સુધી જ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ સમાપ્ત થતાની સાથે જ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પણ સમાપ્ત થઈ જશે. T20 શ્રેણી વિશ્વ કપ સમાપ્ત થયાના એક અઠવાડિયામાં શરૂ થશે, તેથી નવા કોચની નિમણૂકની પ્રક્રિયા આ શ્રેણી પહેલા પૂર્ણ થશે નહીં. આ કારણે લક્ષ્મણને ટી20 સિરીઝ માટે મુખ્ય કોચની જવાબદારી મળી શકે છે.

લક્ષ્મણ નવા મુખ્ય કોચ બનવા માટે પ્રબળ દાવેદાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ નામ ન આપવાની શરતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ‘જ્યારે પણ રાહુલે બ્રેક લીધો છે ત્યારે VVS લક્ષ્મણ હંમેશા પ્રભારી રહ્યા છે અને વર્લ્ડ કપ પછી તરત જ યોજાનારી આ સિરીઝમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. બીસીસીઆઈએ નિયમો અનુસાર મુખ્ય કોચના પદ માટે ફરીથી અરજીઓ આમંત્રિત કરવી પડશે. બોર્ડ પાસે રાહુલ દ્રવિડને મુખ્ય કોચના પદ માટે ફરીથી અરજી કરવા વિનંતી કરવાનો વિકલ્પ હશે.

શાસ્ત્રી બાદ દ્રવિડને કોચ બનાવાયા હતા

જો નવા કોચ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે, તો લક્ષ્મણ ખૂબ જ મજબૂત દાવેદાર હશે કારણ કે BCCI એ એક પ્રક્રિયા ઘડી કાઢી છે જેમાં NCAનો હવાલો ધરાવતા અને સમગ્ર સિસ્ટમની જાણકારી ધરાવતા વ્યક્તિને આ ભૂમિકા માટે તૈયાર કરવામાં આવે છે. રવિ શાસ્ત્રીના કાર્યકાળના અંત પછી જ્યારે દ્રવિડને મુખ્ય કોચ બનાવવામાં આવ્યો ત્યારે તે NCAની જવાબદારીઓ સંભાળી રહ્યો હતો. હવે બરાબર એ જ સ્થિતિ લક્ષ્મણ સાથે થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણી

1લી T20 – 23 નવેમ્બર – વિશાખાપટ્ટનમ
2જી T20 – 26 નવેમ્બર – તિરુવનંતપુરમ
3જી T20 – 28 નવેમ્બર – ગુવાહાટી
4થી T20 – 01 ડિસેમ્બર – નાગપુર
પાંચમી T20 – 03 ડિસેમ્બર – હૈદરાબાદ

Back to top button