ટોપ ન્યૂઝસ્પોર્ટસ

પ્રથમ વન-ડેમાં ભારતે ઈંગ્લેન્ડ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોહલી બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ ટોસ દરમિયાન જણાવ્યું કે વિરાટ કોહલી ઈજાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર છે. જોકે, તેણે કોહલીની ઈજાની ગંભીરતા અંગે સ્પષ્ટતા કરી ન હતી. કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યર ત્રીજા નંબરે બેટિંગ કરશે. જ્યારે જો રૂટ, જોની બેરસ્ટો અને બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટીમમાં પરત ફર્યા છે.

ભારત (પ્લેઈંગ ઈલેવન):

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, પ્રશાંત કૃષ્ણા

ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન):

જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રેગ ઓવરટોન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી

Back to top button