ગુજરાતમાં હૃદય સાથે શ્વાસની બીમારીના દર્દીઓમાં વધારો, આંકડો જાણી દંગ રહેશો


- દરરોજ સરેરાશ 640 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે
- છેલ્લા 45 દિવસમાં શ્વાસની સમસ્યાના 17,476 દર્દીઓ આવ્યા
- હૃદયની સમસ્યાના 12,127 ઈમરજન્સી કેસ નોંધાયા છે
ગુજરાતમાં હૃદય સાથે શ્વાસની બીમારીના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આંકડો જાણી દંગ રહેશો. છેલ્લા 45 દિવસમાં શ્વાસની સમસ્યાના 17,476 જ્યારે હૃદયની સમસ્યાના 12,127 ઈમરજન્સી કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યાના દર્દીમાં 18.89% જ્યારે શ્વાસની સમસ્યાના દર્દીમાં 16.30%નો વધારો થયો છે.
ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન હૃદયની ઈમરજન્સીના 10,200 કેસ નોંધાયા
ગુજરાતમાં ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન હૃદયની ઈમરજન્સીના 10,200 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે આ જ સમયગાળામાં 12,127 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, હાલ પ્રતિ કલાકે સરેરાશ 11 જ્યારે પ્રતિ દિવસે સરેરાશ 270 દર્દીને હૃદયની સમસ્યા થતાં 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ગયા વર્ષની સરખામણીએ હૃદયના દર્દીઓમાં વધારો થયો છે. તબીબો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને 40થી ઓછી વયનામાં હૃદયના દર્દીઓ વઘ્યા છે.
દરરોજ સરેરાશ 640 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે
અમદાવાદના સિવિલ પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં અત્યારસુધી ઇન્ડોરમાં 34,155 જ્યારે આઉટડોરમાં 4,977 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, સિવિલની હાર્ટ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 94 લોકોને હૃદયની સમસ્યાને કારણે દાખલ કરવા પડે છે. આ સિવાય દરરોજ સરેરાશ 640 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે.