ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં રૂ.5માં પૌષ્ટિક ભોજન કેન્દ્રનો આરંભ, CMએ શ્રમિકો સાથે લીધુ ભોજન

Text To Speech
  • અમદાવાદથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોની શરૂઆત થઇ છે
  • હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે
  • નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે

ગુજરાતમાં રૂ.5માં પૌષ્ટિક ભોજન કેન્દ્રનો આરંભ થયો છે. જેમાં વધુ નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું છે. તથા CMએ શ્રમિકો સાથે ભોજન લીધુ છે. રાજ્યભરમાં 273 કડીયાનાકાથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. તથા નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

આ પણ વાંચો: અમદાવાદમાં બેવડી ઋતુ-પ્રદૂષણથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા, દર્દીઓનો આંકડો જાણી ચોંકી જશો

હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે

અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9 કેન્દ્રો શરુ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધતાં શ્રમિક પરિવારોને લાભ થશે. તેમાં અમદાવાદ ખાતેથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થયો છે. રાજ્યભરમાં 273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેવી યોજનામાં જોગવાઇ છે. હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે.

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરાયો

નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે

નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે. તેમાં અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9 કેન્દ્રો શરુ થશે. ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4 ભોજન કેન્દ્રો શરુ થશે. તેમજ પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કેન્દ્રો શરુ થશે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ થયો છે. જેમાં CMએ પણ શ્રમિકો સાથે ભોજન લીધું છે. શ્રમિક પરિવારો માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. તેમાં અમદાવાદથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોની શરૂઆત થઇ છે.

Back to top button