ઉત્તર ગુજરાતગુજરાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ

Text To Speech

ગાંધીનગર, 18 જૂન 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન-VYO દ્વારા રાજ્યમાં નિર્મિત ૪૪ રિચાર્જ બોરવેલનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યું હતું. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીની પ્રેરણાથી VYO એ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યનાં ૭૫ ગામોમાં રિચાર્જ બોરવેલનું આયોજન કર્યું હતું. આ અગાઉ ૩૧ રીચાર્જ બોરવેલના સફળતાપૂર્વક લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ૧૮ મી જુને વધુ ૪૪ રિચાર્જ બોરવેલના લોકાર્પણ કર્યા હતા.

ગ્રીન કવર ઘટી જતાં પાણી હવે રોકાઈને જમીનમાં ઉતરતા નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી જેવા મહત્વપૂર્ણ વિષય સહિત જીવ માત્રની સેવાના ઉદ્દેશ્યથી થતા સમાજ સેવા કાર્યોમાં સરકારના સહયોગની નેમ વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે, પાણી એ વિકાસની પહેલી શરત છે અને ગ્રીન કવર ઘટી જતાં પાણી હવે રોકાઈને જમીનમાં ઉતરતા નથી. આના પરિણામે ભૂગર્ભ જળસ્તર નીચા ગયા છે અને પાણીની સમસ્યા સર્જાઇ છે તેને નિવારવા બોરવેલ રિચાર્જ જરૂરી બન્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ અને પ્રાકૃતિક સંપદાની જાળવણી અને રખરખાવ તથા જળ સંચય, જળ સંરક્ષણ જેવા અભિયાન તેમના માર્ગદર્શનમાં સફળ થયા છે.

પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એ આપણા ભવિષ્ય માટે આવશ્યક
પાણી એ કુદરતની અનમોલ ભેટ છે. તેનું સંવર્ધન કરવું તથા પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એ આપણા ભવિષ્ય માટે આવશ્યક છે. તેમણે ગુજરાતમાં જળ સંચય-જળ સંરક્ષણ અભિયાનથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકારની અટલ ભૂજળ યોજના અન્વયે આ વર્ષે રાજ્યના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં રિચાર્જ ટ્યુબવેલ માટેના ૯૮ કરોડ રૂપિયાના કામોનું આયોજન છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

આ પણ વાંચોઃમીરાબેન પટેલ બન્યાં ગાંધીનગરના નવા મેયર, ડે.મેયર તરીકે નટવરજી ઠાકોરની પસંદગી

Back to top button