ગુજરાત

વર્ષ 2022 માં રાજ્યના 12.72 લાખ લોકોની સેવાનું માધ્યમ બની “108 એમ્બ્યુલન્સ સેવા”

રાજ્ય સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા અનેક લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. કોઈ પણ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક સેવા પુરુ પાડતી આ 108 સેવાએ વર્ષ-2022 માં પણ લાખો લોકોની મદદે પહોંચી છે. ત્યારે 2022મુ વર્ષ પુરુ થતા 108 એમ્બ્યુલન્સ સેવાના વર્ષ દરમિયાન કરેલી કામગીરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

વર્ષ 2022માં 108 એમ્બ્યુલન્સ સેવાની કામગીરી

108 એમ્બ્યુલન્સ સેવાની વર્ષ દરમિયાનની કામગીરીની વાત કરવામાં આવે તો ગત વર્ષે 365 દિવસમાં 12 લાખ 72 હજાર 343 લોકોને 108 એમ્બ્યુન્લસ સેવાએ સ્વાસ્થ્ય સેવાનો લાભ અપાવ્યો છે. આ પ્રતિ દિન 3485 અને પ્રતિ ક્લાક145 જેટલા કોલ્સ એટેન્ડ કરીને108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે. વધુમાં આ 12 મહિનામાં રાજ્યના 1 લાખ 20 હજાર 723 પીડિત દર્દીઓને 108 એમ્બ્યુલન્સ સેવા આકસ્મિક સેવા પહોંચાડી છે.

રાજ્યમાં હાલ 800 જેટલી 108 એમ્બુલન્સ કાર્યરત

હાલમાં રાજ્યમાં 800 જેટલી 108 એમ્બુલન્સ દિવસ અને રાત જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં ઉપલબ્ધ છે. ગત્ વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ 17 મીનિટ અને 10 સેકન્ડ જેટલો રિસપોન્સ ટાઇમ રહ્યો છે. 108 સેવા ત્વરીત સારવારની સુવિધા અપાવવામા અગ્રેસર સાબિત થઈ છે.

108 સેવા-humdekhengenews

વર્ષ 2022 માં 108 એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો

વર્ષ 2022 માં 108 એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો જોઇએ તો, 4,42,140 કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા 1,38,520 કોલ્સ, પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના 1,45,053માર્ગ અકસ્માતની ઇમરજન્સી અને 1,19,012 અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સી ના કૉલ, 73,807 જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ 55,606 કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે 49,165જેટલા કોલ્સ ભારે તાવની ફરિયાદ, 15,921 કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ, 11,068 કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યા સંબધિત,10,118 સ્ટ્રોક સંબંઘિત તકલીફ, 4,474 માથામાં દુખાવાની તકલીફ, 1,899 ગંભીર પ્રકારના અકસ્માત, 1728 એલર્જી રીએક્સનની ફરિયાદ,1735 માનસિક રોગ સંબંધિત ફરિયાદ, 3450 કોરોના સંબંધિત અને 1,42,471 જેટલા કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે. વધુમાં રાજ્યની10,065 જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે.

ગુજરાતમાં એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં વર્ષ 2007 માં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો હતો.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ 108 એમ્બ્યુલન્સ સેવાનો રીસપોન્સ ટાઇમ ઝડપી બન્યો છે. આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થતા લાખો લોકો માટે આ સેવા આશીર્વાદ રૂપ બની છે.

આ પણ વાંચો : નોટબંધીના 5 મોટા કારણો, આ કારણોસર બંધ થઈ 500 અને 1000 રૂપિયાની નોટ

Back to top button