ટોપ ન્યૂઝનેશનલ

મુરાદાબાદના દોઢ દાયકા જુના કેસમાં સ.પા. નેતા આઝમ ખાન અને પુત્ર અબ્દુલ્લાને બે-બે વર્ષની સજા

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના 15 વર્ષ જૂના કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને તેમના પુત્ર સ.પા. ધારાસભ્ય અબ્દુલ્લા આઝમને કોર્ટે બે-બે વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં અન્ય સાત આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના ?

મળતી માહિતી મુજબ, ગત 2 જાન્યુઆરી 2008ના રોજ ભૂતપૂર્વ મંત્રી અને રામપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય આઝમ ખાન તેમના પરિવાર સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુઝફ્ફરનગર જઈ રહ્યા હતા. ત્યારે છજલત પોલીસ સ્ટેશનની સામે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે આઝમ ખાનની કારને અટકાવી હતી. જેના વિરોધમાં આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ, સ્વાર-ટાંડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા.

આ પણ વાંચો : PM મોદીના નેહરુ સરનેમ પર નિવેદનને લઈ રાહુલનો પલટવાર

કોણ – કોણ આરોપીઓ હતા ?

આ અંગેની માહિતી મળતાં જ નજીકના જિલ્લાઓમાંથી સપા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપ છે કે સામાન્ય લોકોને ઉશ્કેરીને રસ્તા રોકીને હંગામો મચાવ્યો હતો અને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો હતો. આ મામલામાં રામપુરના પૂર્વ ધારાસભ્ય આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ, મુરાદાબાદ દેહત વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય હાજી ઈકરામ કુરેશી, બિજનૌરની નૂરપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય નઈમ-ઉલ-હસન, અમરોહાના સપા ધારાસભ્ય નગીના મનોજ પારસ, સપાના વિધાનસભ્ય નગના મનોજ પારસ, અમરોહાના સપા ધારાસભ્ય મહેબૂબ અલી, રાજેશ યાદવ, ડીપી યાદવ, પૂર્વ મહાનગર પ્રમુખ રાજકુમાર પ્રજાપતિને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેની સુનાવણી વર્ષ 2019થી મુરાદાબાદના MP ધારાસભ્ય મેજિસ્ટ્રેટ સ્મૃતિ ગોસ્વામીની કોર્ટમાં ચાલી રહી હતી.

આ પણ વાંચો : Aero India Showમાં હનુમાનજીની તસવીરવાળું સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ

કોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા ?

વિશેષ સરકારી વકીલ મોહન લાલ વિશ્નોઈએ કહ્યું કે કોર્ટના કાગળ પરના પુરાવાના આધારે આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમને દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે મુરાદાબાદ દેહત વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય હાજી ઈકરામ કુરેશી, બિજનૌરની નૂરપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય નઈમ-ઉલ-હસન, નગીનાના સપા ધારાસભ્ય મનોજ પારસ, મહબૂબ અલી, રાજેશ યાદવ, અમરોહાના સપા ધારાસભ્ય ડીપી યાદવ, પૂર્વ ધારાસભ્ય ડો. મહાનગર પ્રમુખ રાજકુમાર પ્રજાપતિ પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા છે.

Back to top button