ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા, 34 દર્દી થયા ડીસ્ચાર્જ

Text To Speech

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે અને 34 દર્દીને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17, ગાંધીનગરવડોદરામાં 4, સુરતમાં 2 અને નવસારીમાં 1 કેસ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજે એકપણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 199 પર પહોચી છે. જેમાં 2 દર્દી વેન્ટીલેટર ઉપર છે, જ્યારે 197 દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 10,944 પર પહોચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં પોઝીટીવ કેસનો આંક 12,24,893 પર પહોંચ્યો છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી એક પણ કોવિડ કેસ નોંધાયો નથી. જે સ્થિતિ આજ પણ યથાવત રહી છે. જેથી આજે કોઈ કેસ ન નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 4 દર્દી ઉપર સ્થિર છે.

Back to top button