કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો, તંત્રમાં દોડધામ

Text To Speech

રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતે રોગચાળો વકર્યો છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ શહેરના અનેક ગીચ વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધવાને લઈ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે વધતા જતા રોગચાળાને કારણે તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું

હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળાએ માઝા મુકી છે. ત્યારે રાજકોટમાં પણ વરસાદી વાતાવરણના કારણે રોગચાળો વકર્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી કેસોમાં ઉછાળો આવ્યો છે. આમ રોગચાળાના કેસોમાં ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

રોગચાળો-humdekhengenews

છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ રોગાચાળાના કેસો આવ્યા

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ રોગાચાળાના કેસો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે,છેલ્લા એક અઠવાડિયામાં જ શહેરમાં 400 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં ચાલુ વર્ષની સિઝનમાં મેલેરિયાના 10, ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 2 કેસ સામે આવ્યા છે. આમ શહેરમાં વધતા જતા રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વધતા જતા રોગચાળાને લઈને તંત્ર એલર્ટ

શહેરમાં વધતા જતા રોગચાળાને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને શહેરમાં વકરી રહેલા રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 387 લોકોને નૉટિસ પણ ફટકારવામાં આવી છે, અને તંત્ર દ્વારા 227 ઘરોમાં ફૉગિંગની પ્રૉસેસ પણ કરવામાં આવી છે.

 આ પણ વાંચો : અમદાવાદ : હત્યા અને ખંડણીના કેસમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર

Back to top button