ગુજરાત

રાજકોટમાં 8 ઝાડની ડાળીઓ કાપવાના નામે 13 વૃક્ષો કાપી નાખ્યા

Text To Speech

રાજકોટ શહેરમાં સરકારી લાઈબ્રેરી ખાતે આઠ ઝાડની ડાળીઓ કાપવાની મંજૂરી મેળવી ૧૩ વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું હતુ. માત્ર ટ્રિમિંગની જ મંજૂરી હતી તેમજ છતાં વૃક્ષ કાપ્યાનું સામે આવતા હવે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીના પરિસરમાં એક સાથે 13 વૃક્ષને થડથી જ કાપી નાખ્યા છે આ મામલે લાઇબ્રેરિયને મંજૂરી સાથે વૃક્ષ કાપ્યાની વાત આવતા મ્યુનિસિપલ કમિશનરે તુરંત જ નાયબ કમિશનર એ.આર. સિંઘને તપાસ કરવાનો આદેશ કર્યો હતો જોકે તેમાં વૃક્ષ કાપવાની નહિ પણ માત્ર ટ્રિમિંગની જ મંજૂરી હતી અને ગેરકાયદે વૃક્ષ કાપ્યાનું સામે આવતા હવે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ. છે. 

ગાર્ડન શાખાના ઈન્ચાર્જ ડાયરેક્ટર એલ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, ‘જિલ્લા લાઇબ્રેરીના ગ્રંથપાલના હોદ્દાની રૂએ વૃક્ષોની ટ્રિમિંગ કરવાની અરજી આવી હતી જેમાં બિલ્ડિંગને કેટલીક ડાળીઓ અડતી હોવાથી કાપવા મંજૂરી માગી હતી તેથી 8 વૃક્ષની ડાળીઓ કાપવા મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી લાઇબ્રેરિયન સ્મિતકૌર સેહર નામના મહિલા ગ્રંથપાલે 22 ફેબ્રુઆરીના લીધી હતી અને તે જ સમયે વૃક્ષો કપાયા હોય તેવું લાગે છે. જે 13 ઝાડ કપાયા છે તેમાં પીપળ, પીપળો, ગોરસ આંબલી તેમજ અન્ય લીમડાનો સમાવેશ થાય છે. આ મામલે ગેરકાયદે વૃક્ષછેદન બદલ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન કાયદા હેઠળ કાર્યવાહી થશે ઉપરાંત રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન તેમજ લાકડાંના ગેરકાયદે વેચાણનો મુદ્દો પણ આવરી લીધો છે અને લીગલ નોટિસ મોકલી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ રહી છે.’

આ મામલે જાણવા મળ્યું હતું કે, જે તે સમયે વૃક્ષો કાપ્યા ત્યારે લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને આવેદન પણ આપ્યું હતું જોકે ત્યારે લાઇબ્રેરિયને પોલીસને બોલાવીને અવાજ દબાવવા પણ પ્રયાસ કર્યો હતો. 3 મહિના સુધી વૃક્ષોની હત્યાનો બનાવ છુપો રહ્યો હતો કારણ કે, લાઇબ્રેરીની કમ્પાઉન્ડ વોલ પાસે જે દીવાલ છે તે વૃક્ષો યથાવત્ રહ્યા હતા અને અંદરના વૃક્ષ કાપ્યા હતા, પરંતુ મનપા ટીમ પહોંચી ત્યારે કપાયેલા વૃક્ષો પૈકી ગોરસ આંબલી અને પીપળના વૃક્ષના કૂંપળ ફૂટેલા હતા.

Back to top button