કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં કેજરીવાલે CM પદનો ચેહરો વહેલો જાહેર કરવાના આપ્યા સંકેત

Text To Speech

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ તેઓ રાજકોટથી ગયા હતા ત્યાં ફરી આજે રાજકોટ આવ્યા છે. આજે તેમણે આપ નેતા ઈન્દ્રનીલ રાજગુરૂ સ્થાપિત શિવધામની મુલાકાત લઈ ત્યાં આરતીમાં ભાગ લીધો હતો. દરમ્યાન તેમણે પોતાના નિવેદનમાં ગુજરાતના CM પદનો ચહેરો વહેલીતકે જાહેર કરવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા.

પાટીદારો સહિત દરેક સમાજને અમારા પક્ષમાં ન્યાય મળશે

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતનો દરેક નાગરિક CM છે. પાટીદારો સહિત દરેક સમાજને અમારા પક્ષમાં ન્યાય મળશે. દરેકને સમાન હક અને સમાન પદ મળશે. જો મારી સરકાર સતામાં આવશે તો અમે રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે. જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું અને 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું.

Back to top button