ગુજરાત

મહેસાણા જિલ્લામાં 52 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી

Text To Speech

મહેસાણાઃ જિલ્લામાં આજે 52 જેટલા પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા આજે  પોલીસ કર્મીઓની બદલી કરી છે. પોલીસ કર્મીઓમાં ખુશીની લહેર છવાઈ હતી.

મહેસાણા જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પોતાની પસંદગીના સ્થળે ફરજ બજાવી શકે તે માટે ઘણા સમજથી મહેસાણા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જ્યાં પોલીસ વડા એ રૂબરૂ રજુઆત સાંભળ્યા બાદ તેઓની માંગણી ગ્રાહ્ય રાખી  તેઓને પસંદગીની જગ્યા એ બદલી કરવામાં આવી હતી.

આથી 52 જેટલા પોલીસ કર્મીઓની માગણી ગ્રાહ્ય રાખી તેઓની માંગણી મુજબના સ્થળ પર બદલી કરી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓની રજૂઆત સાંભળ્યા બાદ 52 જેટલા પોલીસ કર્મીઓની માંગણી મુજબ બદલીનો આદેશ કરી પોલીસ કર્મીઓના કામની ગુણવત્તામાં સુધાર લાવવા પહેલ કરવામાં આવી હતી.

Back to top button