ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં જાણો કયા મામલે મેયરે હાથ ખંખેરી લેતા વિપક્ષે CBI તપાસની માગ કરી

  • વટવાના આવાસકાંડને લઇને દિવસ દરમિયાન રાજકીય ડ્રામા જોવા મળ્યો
  • વટવાના આવાસ અંગે મને કોઇ જાણકારી નથી: મેયર પ્રતિભાબેન જૈને
  • ગત 15મી જુલાઇ-2023થી 1664 મકાનો તોડી પડાયા છે

અમદાવાદ AMCમાં વટવાના આવાસકાંડને લઇને દિવસ દરમિયાન રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. આ અંગે વિપક્ષે દાણાપીઠ મ્યુનિ.કચેરી ખાતે દેખાવ કર્યા હતાં. બીજીતરફ હોબાળા બાદ સત્તાપક્ષના હોદ્દેદારોએ મીડિયાના માધ્યમથી જાણકારી મળી હોવાનું જણાવી થોડાક સમય પહેલા જ ચાર્જ સંભાળનાર અધિકારીને મીડિયા સમક્ષ ધરી દીધા હતાં. આવાસ તોડવા માટે મહત્વના સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ જોયા વગર મહિલા મેયરે હાથ ખેંખરી લેતા વિપક્ષે સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા છે મેઘનું એલર્ટ

ગત 15મી જુલાઇ-2023થી 1664 મકાનો તોડી પડાયા છે અને હવે કાંડ બહાર આવતા વિવાદ વકર્યો

અધિકારીઓએ નવાનકોર મકાનોની જાળવણી નહીં કરાતા કાટમાળની ચોરી થઇ અને જર્જરીત થતાં મકાનો તોડી પાડવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છેકે, નવા બંધ મકાનોની જાળવણી નહીં થતાં જર્જરીત થયા અને અંતે તોડી પડાતા પ્રજાના 182 કરોડ સ્વાહ થઇ ગયા છે, પ્રજાના નાણાંનો દૂરુપયોગ કરી ભ્રષ્ટચાર આચનાર છટકી ગયા છે. હાલમાં 224 આવાસોમાં રહેતા કુટુંબો સુરક્ષિત છેકે નહીં ? તેની મ્યુનિ.એ કોઇ સ્પષ્ટતા કરી નથી. ઉલ્લેખનીય છેકે, ગત 15મી જુલાઇ-2023થી 1664 મકાનો તોડી પડાયા છે અને હવે કાંડ બહાર આવતા વિવાદ વકર્યો છે.

વટવાના આવાસ અંગે મને કોઇ જાણકારી નથી: મેયર પ્રતિભાબેન જૈને

આ અંગે મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, વટવાના આવાસ અંગે મને કોઇ જાણકારી નથી. મીડિયાના માધ્યમથી જ મને જાણકારી પ્રાપ્ત થઇ છે. હું કમિશનરને તપાસ માટે જાણ કરીશ. વટવામાં 6 ફેઝમાં 8960 મકાનો બનાવાયા હતાં. આમાંથી વર્ષ 2014માં 5 ફેઝના 1888 મકાનો બનવાની શરૂઆત થઇ અને 2017માં મકાનો તૈયાર થયા હતાં. આ પછી 1664 મકાનો ખાલી હતાં. ખાલી મકાનોમાંથી ઇલેક્ટ્રીકલ સામાન સહિત સ્લેબ તોડીને સળીયાની ચોરી કરીને જર્જરીત કરી દેવાયા હતાં. મ્યુનિ.ના સ્ટ્ર્કચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ 1,664 મકાનો તોડી પડાયા છે. મકાન તોડવાનો કોઇ ખર્ચ નહીં થાય. મકાનનો કાટમાળ કોન્ટ્રક્ટર લઇ જશે, જેની મ્યુનિ.ને તોડવાનો ખર્ચ ભોગવવો નહીં પડે. 224 મકાનો રહેવા લાયક છેકે નહીં ? તેની હાલ મને જાણકારી નથી.

Back to top button