ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

3 દિવસમાં ગુજરાતમાં એક પણ ઘરનું આંગણું એવું નહીં હોય કે જેના ઉંબરેથી બાળક દફ્તર લઈને શાળાએ જવા ન નીકળ્યું હોય: ઉદ્યોગ મંત્રી

Text To Speech

પાટણ 27 જૂન 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્લોગન મુજબ “मैं चाहता हूँ कि इस देश के युवा आशा और अवसरों से भरा जीवन जिएँ।” જેને સાકાર કરવા “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” ના‌ બીજા દિવસે સરસ્વતી તાલુકાની કોઇટા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતાં

એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવાનો સંકલ્પ

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યક્રમને લઈને જણાવ્યું હતું કે આ ત્રણ દિવસમાં ગુજરાતમાં એક પણ ઘરનું આંગણું એવું નહીં હોય કે જેના ઉંબરેથી બાળક દફ્તર લઈને શાળાએ જવા ન નીકળ્યું હોય” સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં સંકલ્પ મુજબ “ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તે‌ સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે” તેમજ ગરવા ગુજરાતે આવો”, સ્વાગતગીત, નારીશક્તિના બાળવક્તા, પર્યાવરણ પ્રત્યે ગ્રામજનોની જાગૃતિ આજના દિવસની લાક્ષણિકતાઓ બની હતી

કુલ ૧૪૩૯ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

હાલ પ્રાથમિકમાં ૨૧૬ અને માધ્યમિકમાં ૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે પ્રાથમિકશાળાની આંગણવાડીમાં ૧૧, બાલવાટિકામાં ૩૬, ધોરણ-૧ માં ૦૬, ધોરણ-૯ માં ૧૭ એમ કુલ ૫૩ અને માધ્યમિકશાળામાં ધોરણ-૯ માં ૮૦૬, ધોરણ-૧૧ (સા.પ્ર) માં ૫૫૫, ધોરણ-૧૧(વિ.પ્ર) માં ૭૮ એમ કુલ ૧૪૩૯ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૮૮૯ કુમાર અને ૫૫૦ કન્યાઓ છે. સાથે આ પ્રસંગે રફીકભાઈ, રમેશભાઇ, બળદેવભાઈ, બીપીનભાઇ , માતમભાઇ, જશુભાઈ, મહિપતસિંહ, લાલભાઈ, કોઇટાના સામાજિક આગેવાનો, આજુબાજુના ગામના સરપંચ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

આ પણ વાંચો : સરકાર અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસથી જ સ્થાનિક કક્ષાએ શિક્ષણના નવા લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાશે: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

Back to top button