અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત

ઔદ્યોગિક સંસ્થાનો માટે ગુજરાત સરકારે કર્યો મહત્ત્વનો નિર્ણયઃ જાણો વિગતો

Text To Speech
  • ઔદ્યોગિક સંસ્થાનો માટે કરવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય; ‘વીજ સપ્લાય કોડ-૨૦૧૫’માં જરૂરી ફેરફાર કરાયા
  • લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા ૧૦૦ KW થી વધારીને ૧૫૦ KW કરાઈ

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર, 2024: ઔદ્યોગિક સંસ્થાનો માટે ગુજરાત સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે નાના ઉદ્યોગકારો માટે કરેલા અતિમહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા ઊર્જા મંત્રી  કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોએ કરેલી વિવિધ રજૂઆતોને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિભાવ આપીને હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા ‘વીજ સપ્લાય કોડ-૨૦૧૫’માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, અગાઉ લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા ૧૦૦ KW હતી, જે હવે વધારીને ૧૫૦ KW કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે ૧૫૦ KW સુધીના વીજભારનું જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો, લો-ટેન્શન સપ્લાયની પસંદગી કરી શકશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે, જે આર્થિક વૃદ્ધિ અને નવી રોજગારીનું સર્જન કરશે. સાથે જ, EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પણ ટેકો મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વધી રહેલી વીજ માંગને સમાવવા, વીજ સંસાધનોને સ્થાપવા તેમજ લો-ટેન્શન લાઈન અને હાઈ-ટેન્શન લાઈન જોડાણના વીજભારની મહત્તમ મર્યાદા વધારવા જેવી વિવિધ રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતાં GERC દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશેઃ જાણો પૂરી વિગતો

Back to top button