ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

મોનેટરી પોલિસીની બેઠકમાં RBIનો મહત્વપૂર્ણ નિર્ણય; વ્યાજ દર 6.50% યથાવત

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપો રેટમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે વ્યાજ દર 6.50% યથાવત રહેશે. આરબીઆઈએ સતત ત્રીજી વખત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.

RBIએ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે મોંઘવારીના અનુમાનને 5.1%થી વધારીને 5.4% કરવામાં આવ્યો છે. આ સિવાય નાણાકીય વર્ષ 2023-24માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. GDP કવોર્ટર એક દરમિયાન 8%, ક્વોર્ટર 2માં 6.5%,  કવોર્ટર ત્રણમાં 6% અને ક્વોર્ટર ચારમાં 5.7% હોઈ શકે છે.

નાણાકીય નીતિ દર બે મહિને મળે છે. ગયા નાણાકીય વર્ષ-2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારબાદ RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ RBIએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટ 0.40% થી વધારીને 4.40% કર્યો હતો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે. આ પછી 6 થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.

આ પણ વાંચો-અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે અંતિમ દિવસ; PM મોદીએ બીજેપી મંત્રીઓ સાથે કરી બેઠક

સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થઈ ગયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યા હતા.

કેમ RBI રેપો રેટમાં વધારો કે ઘટાડો કરે છે?

RBI પાસે રેપો રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે ફુગાવો ઘણો ઊંચો હોય છે, ત્યારે RBI રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે.

જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને આરબીઆઈ પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. તેનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટશે. જો નાણાંનો પ્રવાહ ઓછો હશે તો માંગ ઘટશે અને ફુગાવો ઘટશે.

એ જ રીતે જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે પુનઃપ્રાપ્તિ માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર છે. આવી સ્થિતિમાં RBI રેપો રેટમાં ઘટાડો કરે છે. આના કારણે બેંકો માટે આરબીઆઈ તરફથી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. ચાલો આ ઉદાહરણથી સમજીએ.

જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી, ત્યારે માંગમાં ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં આરબીઆઈએ વ્યાજ દરોમાં ઘટાડો કરીને અર્થવ્યવસ્થામાં નાણાંનો પ્રવાહ વધાર્યો છે.

આ પણ વાંચો- જયરામ રમેશે સંસદની સ્ટેન્ડિંગ કમિટીઓમાંથી આપ્યું રાજીનામું; જાણો શું છે તેની પાછળનું કારણ?

Back to top button