કોઈ નવી જગ્યાને એક્સપ્લોર કરવી હોય તો જાવ શ્રવણબેલગોલા, ક્યાં ક્યાં ફરશો?
![Text To Speech Text To Speech](https://humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![કોઈ નવી જગ્યાને એક્સપ્લોર કરવી હોય તો જાવ શ્રવણબેલગોલા, ક્યાં ફરશો? hum dekhenge news](https://humdekhenge.in/wp-content/uploads/2024/05/shravanbelgola.jpg)
- શ્રવણબેલગોલા ફરવા માટેની અલગ જગ્યા છે. અહીં જૈન મંદિર પણ છે, જે ખૂબ ફેમસ છે. અહીં દરેક ધર્મના લોકો દર્શન માટે આવે છે. મંદિર ઉપરાંત અહીં ફરવા માટે અનેક જગ્યા છે
શ્રવણબેલગોલા એક એવી જગ્યા છે, જ્યાં અનેક મંદિર આવેલા છે અને ફરવા માટે ઘણી જગ્યાઓ પણ છે. તે કર્ણાટકમાં આવેલું એક શહેર છે. આ જગ્યાને એક તીર્થસ્થાનના રૂપમાં જોવામાં આવે છે. શ્રવણબેલગોલામાં જૈન મંદિર પણ છે, જે ખૂબ ફેમસ છે. અહીં દરેક ધર્મના લોકો દર્શન માટે આવે છે. મંદિર ઉપરાંત અહીં ફરવા માટે અનેક જગ્યા છે.
ગોમતેશ્વર મંદિર
વિંધ્યગિરિ પહાડો પર 600 સીડીઓ ચઢ્યા બાદ બાહુબલીની સૌથી ઊંચી પ્રતિમા છે. 58 ફૂટ ઊંચી આ પ્રતિમાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. 12 વર્ષમાં એક વખત આ પ્રતિમા માટે આયોજિત થતા મહામસ્તકાભિષેકમ ઉત્સવ દરમિયાન ખૂબ ભીડ રહે છે. આ શ્રવણબેલગોલામાં જોવા માટેની સૌથી સારી જગ્યા છે.
ચંદ્રગુપ્ત બસદી
આ સ્મારક મૂળ રીતે રાજા અશોક દ્વારા બહાદુર રાજા ચંદ્રગુપ્ત મૌર્યની યાદમાં બનાવાયું હતું. તે શ્રવણબેલગોલાનું મુખ્ય પર્યટક આકર્ષણ છે. એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત બસદીનું નિર્માણ સ્વયં ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું, પરંતુ સ્થાનિક લોકોનું માનવું છે કે તે મૌર્ય માટે બનાવવામાં આવ્યું હતું., મૌર્ય દ્વારા નહીં. તે ચંદ્રગિરિ પહાડીઓ પર સ્થિત છે.
ચંદ્રગિરિ પહાડી
શ્રવણબેલગોલાની ચંદ્રગિરિ પહાડીઓથી આખુ કાઠમાંડૂ અને તેનો મનોરમ્ય નજારો દેખાય છે. તે શ્રવણબેલગોલાની આસપાસ ફરવા માટે સૌથી સારી જગ્યા છે. પહાડીઓ ફરવામાં થોડા કલાકો લાગે છે, પરંતુ આ જગ્યા જોયા બાદ મોજ પડી જાય છે.
કંબદાહલ્લી
બ્રહ્મદેવ સ્તંભના કારણે આ જગ્યાને કંબદાહલ્લી કહેવામાં આવે છે. તેને કર્ણાટકમાં બોલચાલની ભાષામાં કમ્બા કહેવાય છે. તે શ્રવણબેલગોલામાં ફરવા માટે સુંદર જગ્યા છે. તે જૈન મંદિરના વ્યવસ્થિત સમુહમાં સૌથી જુનું છે.
આ પણ વાંચોઃ હોલિડે ટ્રિપ માટે અમૃતસર જાવ, સુવર્ણ મંદિર ઉપરાંત અહીં પણ ફરો