ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીવિશેષ

સિક્કા લેવાની ના પાડશો તો થશે જેલ, જાણો શું છે કારણ…

બિહાર, 27 જાન્યુઆરી : ઘણીવાર તમે જોયું હશે કે દુકાનમાંથી સામાન લીધા પછી દુકાનદારો સિક્કાને બદલે ચોકલેટ કે અન્ય કોઈ વસ્તુ આપી દે છે, પરંતુ આવું કરનારાઓ સામે કાર્યવાહી થઈ શકે છે. આટલું જ નહીં, જો કોઈ દુકાનદાર તમારી પાસેથી નાના સિક્કા લેવાની ના પાડે તો તેને જેલ પણ થઈ શકે છે. જમુઈના ડીએમ રાકેશ કુમારે આ અંગે આદેશ જારી કર્યો છે. કે સિક્કા ન સ્વીકારવા ગેરકાનૂની છે અને નાના સિક્કાઓનું ચલણ રોકી શકાશે નહીં.

નાના સિક્કા લેવાની ના પાડવી ગેરકાયદેસર 

એલડીએમ ધીરેન્દ્ર કુમાર ચૌધરીએ કહ્યું કે નાના સિક્કા લેવાની ના પાડવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર, 25 પૈસાના સિક્કા સિવાયના તમામ સિક્કા સંપૂર્ણ પણે કાયદેસર છે પરંતુ દુકાનદારો, ઓટો ડ્રાઈવર અને અન્ય લોકો પણ સિક્કા લેતા નથી, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવે આવું નહીં થાય. જે લોકો સિક્કો લેવાનો ઇનકાર કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તે જેલ પણ જઈ શકે છે.

સિક્કા ન લેવા અંગે ક્યાં ફરિયાદ કરવી 

માર્કેટમાં કોઈ દુકાનદાર કે પછી બેંક સિક્કા લેવાનો ઇનકાર કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. આ માટે સ્થાનિક BDO અથવા CO ને ફોન પર પણ ફરિયાદ કરી શકાય છે. એટલું જ નહીં, જો તમે ઇચ્છો તો લેખિત ફરિયાદ પણ કરી શકો છો અથવા તે દુકાનદાર વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવી શકો છો. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા એલડીએમને પણ ફોન કરીને આ વિશે જાણ કરી શકો છો. માહિતી આપ્યા બાદ આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. RBIની ગાઈડલાઈનની અવગણના કરવી એ ગેરકાયદેસર છે અને આવું કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નિયમો અને સજાની જોગવાઈ 

સિક્કા ન લેવા એ કાયદાકીય ગુનો છે. તેમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. ભારતીય દંડ સંહિતા 1980ની કલમ 124A હેઠળ રિઝર્વ બેંકનું ચલણ સ્વીકારવાનો ઇનકાર કરવો એ ગુનો છે. રાષ્ટ્રીય ચલણનું અપમાન કરવું એ દેશદ્રોહ શ્રેણીનો ગુનો છે. આ માટે કલમ 124A હેઠળ, સજા 3 વર્ષથી આજીવન કેદ સુધીની હોઈ શકે છે અને કોર્ટ દ્વારા આવા આરોપીઓ પર દંડ પણ લાદવામાં આવે છે.

25 પૈસા સિવાયના તમામ સિક્કા ચલણમાં માન્ય 

RBIદ્વારા જારી કરવામાં આવેલા એક રૂપિયો અને બે રૂપિયાના સિક્કા ચલણમાં છે, તેથી કોઈ પણ વેપારી તેને લેવાનો ઈન્કાર કરી શકે નહીં. તેમજ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સિક્કા અધિનિયમ-2011 મુજબ 30 જૂન, 2011થી માત્ર 25 પૈસાના સિક્કા ચલણમાં નથી. બાકીના તમામ સિક્કા કાનૂની ટેન્ડર તરીકે ચલણમાં છે.

આ પણ વાંચો : ISRO ના આદિત્ય-L1 એ હાંસલ કરી બીજી મોટી સફળતા

Back to top button