હેલ્થ

શરદી બાદ છાતીમાં કફ જામી ગયો હોય તો તુરંત આ કામ કરો

Text To Speech

ચોમાસાની ઋતુ હોય કે શિયાળાની ઋતુ હોય શરદી-ખાંસી થવી ખૂબ જ સામાન્ય બાબત છે. ઠંડી ઋતુમાં આ સમસ્યા અન્ય દિવસો કરતા થોડી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં શરદી-ખાંસી થયા બાદ છાતીમાં કફ જમા થવાની સમસ્યા ખૂબ પરેશાન કરે છે. જેના કારણે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણી પ્રકારની દવાઓનો સહારો લે છે. પરંતુ તેમ છતાં છાતીમાં જામેલા કફથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં તમે કફથી છુટકારો મેળવવા માટે કેટલીક ઘરેલું પદ્ધતિઓ અપનાવી શકો છો. આ નુસખાઓથી તમને કોઈ આડઅસર પણ નહીં થાય.

મીઠાના પાણીથી કોગળા કરો : છાતીમાં રહેલા કફને બહાર કાઢવા માટે મીઠાના પાણીથી કોગળા કરો. આ માટે હૂંફાળા પાણીમાં થોડું મીઠું મિક્સ કરીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવા જોઈએ. તેનાથી તમને છાતીમાં ઘણી રાહત મળશે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે.

કાચી હળદર : કફથી છુટકારો મેળવવા માટે તમે કાચી હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે કાચી હળદરનો રસ કાઢી તેના થોડા ટીપાં ગળામાં નાંખો અને થોડીવાર શાંતિથી બેસી રહો. જો તમે ઈચ્છો તો હળદરના રસને નવશેકા પાણીમાં મિક્સ કરીને કોગળા પણ કરી શકો છો.

ગોળ અને આદું : ગોળ અને આદું તમને છાતીમાં રહેલા કફની સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે આદુંને છોલીને શેકો, ત્યારબાદ તેને વાટીને તેમાં ગોળ મિક્સ કરીને તેની ગોળી બનાવીને દિવસમાં બે વાર તેનું સેવન કરો.

મધ અને કાળાં મરી : મધ અને કાળાં મરી છાતીમાં રહેલા કફને દૂર કરવામાં મદદ કરશે. તેની મદદથી ગળાના દુ:ખાવામાં પણ રાહત મળશે. આ માટે કાળાં મરીને પીસીને બારિક પાઉડર બનાવી લો. આ પછી તેમાં થોડું મધ મિક્સ કરીને તેનું સેવન કરો

Back to top button