ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

શિયાળામાં ખજુર ખાશો, તો ઇમ્યુનિટી વધી જશેઃ આ પણ થશે ફાયદા

શિયાળો આવતા જ માર્કેટમાં ખજુરની ડિમાન્ડ અચાનક વધી જાય છે. હવે ખજુરની આ ડિમાન્ડ હોળી સુધી રહેશે. ખજુરમાં મળી આવતા ઔષધીય ગુણોના કારણે ઠંડીની સીઝનમાં ખજુર ખાવાની સલાહ આપવામાં આવે છે. ખજુર આપણા શરીરને ગરમ રાખે છે. ખજુરને ડાયેટમાં સામેલ કરવાથી કેટલાયે પ્રકારની બિમારીઓ ખતમ થઇ જાય છે. ખજુરને ન્યુટ્રિઅન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિઅન્ટનો ખજાનો કહેવામાં આવે છે. તે સીઝનલ બિમારીઓથી બચાવે છે. ઠંડીની સીઝનમાં ખજુર હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે.

શિયાળામાં રોજ ખાવ ખજુર, કેટલીયે બિમારીઓ રહેશે દુર hum dekhenge news

ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે

ઠંડીની સીઝનમાં દરેક વ્યક્તિની ગળ્યુ ખાવાનું ક્રેવિંગ થતુ હોય છે. આવા સંજોગોમાં ડાયાબિટીસ વધવાનો પણ ખતરો રહે છે. જો તમે રોજ એકાદ-બે ખજુરનુ સેવન કરશો તો તમારુ ગળ્યાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને નુકશાન પણ નહીં થાય. ખજુર મીઠી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે, કેમકે તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછો હોય છે.

હાઇ બીપીમાં અસરકારક

ઠંડીની સીઝનમાં હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવુ હોય તો તમારે રોજ ખજુર ખાવી જોઇએ. તેમાં રહેલુ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

કબજિયાતની સમસ્યાથી રાહત

ઠંડીમાં ઘણી વખત કબજિયાતની સમસ્યા થતી હોય છે. જો તમે પણ એવી સમસ્યાથી પરેશાન હો તો પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખજુરનુ સેવન કરો. તેનાથી તમને રાહત મળશે. રાતે સુતા પહેલા ખજુરને પાણીમાં મિક્સ કરો અને સવારે તેને ખાઇ લો. તેનાથી તમારુ મેટાબોલિઝમ સુધરશે.

શિયાળામાં રોજ ખાવ ખજુર, કેટલીયે બિમારીઓ રહેશે દુર hum dekhenge news

સીઝનલ રોગોમાં ફાયદાકારક

શિયાળાની સિઝનમાં તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદી, ખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને સીઝનલ બીમારીઓથી દૂર રહે છે. ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકાય છે. તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.

હાડકાં થશે મજબૂત

વધતી જતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડતા જાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

શિયાળામાં રોજ ખાવ ખજુર, કેટલીયે બિમારીઓ રહેશે દુર hum dekhenge news

સ્કિનને પણ ચમકાવશે

ખજુરનુ સેવન કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. ખજુર સ્કીનના રોગોથી બચાવે છે. તેમાં એન્ટીએજિંગ ગુણો હોવાના કારણે તમારા ચહેરા પર વૃદ્ધત્વના નિશાન દેખાતા નથી. જો તમે સળંગ એક મહિનો ખજૂરનું સેવન કરશો તો તમારી સ્કીન ચમકવા લાગશે.

આ પણ વાંચોઃ સાવધાન! ઠંડીમાં ગરમ પાણીનો વધુ પડતો પ્રયોગ કરતા પહેલા આ વાંચો

Back to top button