ટ્રેન્ડિંગનેશનલ

બાબા વેંગાની આ ભયાનક ભવિષ્યવાણીઓ જો સાચી પડી હોત તો પૃથ્વી પર વિનાશ સર્જાત

HD ન્યૂઝ ડેસ્ક, 23 ડિસેમ્બર: ઇતિહાસમાં દુનિયામાં ઘણી જાણીતી હસ્તીઓ થઈ ગઇ, જેમણે તેમના જીવનકાળ દરમિયાન વિશ્વમાં થનારી ઘટનાઓની આગાહી કરી હતી. જો આપણે વિશ્વના સૌથી પ્રખ્યાત ભવિષ્યવાણી કરનાર વિશે વાત કરીએ, તો દરેકના મગજમાં પહેલું નામ આવે છે ‘બાબા વેંગા’. બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખાતા બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી સાચી સાબિત થઈ છે.

બાબા વેંગાના મૃત્યુ પછી, તેમના શિષ્યોએ તેમની ભવિષ્યવાણીઓનું વર્ણન કરવાની જવાબદારી ઉપાડી છે, કારણ કે તેમનો કોઈ લેખિત રેકોર્ડ નથી. જો કે, 2023 વિશેની તેમની કેટલીક કાલ્પનિક આગાહીઓ સાચી પડી પરંતુ કેટલીક ખોટી સાબિત થઈ છે. જો કે તે ખોટી સાબિત થઈએ જ સારુ છે. કારણ કે એ એવી ભવિષ્યવાણીઓ હતી કે જો તે સાચી પડી હોત તો પૃથ્વી પર વિનાશ સર્જાત.

2023 માટેની ભવિષ્યવાણી ખોટી પડી

  1. બાબા વેંગાએ વર્ષ 2023 માટે ખૂબ જ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આવનારા વર્ષોમાં બાળકો માતાના ગર્ભમાંથી નહીં પરંતુ લેબમાં જન્મ લેશે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોની આ શોધને કારણે માતા-પિતા બાળકનો રંગ અને લિંગ નક્કી કરી શકશે. પરંતુ એક્ટોલાઈફ નામનો આ પ્રોજેક્ટ હજુ અસ્તિત્વમાં આવ્યો નથી.
  2. એવું કહેવાય છે કે બાબાએ 2023 માં એક મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટની આગાહી પણ કરી હતી, જેમાં એશિયાના વાદળો ઝેરીલા બનવાની વાત કરી હતી. સદભાગ્યે, 2023 માં આવી કોઈ ઘટના જોવા મળી નથી. પરંતુ વર્ષનો છેલ્લો મહિનો પૂરો થવામાં હજુ થોડા દિવસો બાકી છે એટલે હજી ભવિષ્યવાણીનો સાચી ન પડે તેનો ડર રહે છે.

2023 માટે બાબાની આ ભવિષ્યવાણી સાચી પડી

એવું કહેવાય છે કે બાબા માનતા હતા કે 2023માં ભારે તોફાન પૃથ્વીને હચમચાવી નાખશે. પછી ડિસેમ્બર 1 ના રોજ, અમેરિકન આગાહીકારોએ ચેતવણી આપી હતી કે એક ભારે વાવાઝોડું પૃથ્વી પર આવશે, જેના કારણે રેડિયો, ઇન્ટરનેટ અને જીપીએસમાં વિક્ષેપ આવશે. આ વાત સાચી સાબિત થઈ અને ડિસેમ્બરમાં જ વૈજ્ઞાનિકોએ સૂર્ય પર એક વિશાળ કાણું જોયું. તે સૂર્યના વિષુવવૃત્ત પર બનેલ છે. તેની શોધ 2 ડિસેમ્બર 2023ના રોજ થઈ હતી. પરંતુ 24 કલાકમાં તે એટલુ મોટુ થઈ ગયું કે આ જગ્યામાં 60 પૃથ્વી તેમા સમાઈ શકે. સારું છે આ એક અસ્થાયી છિદ્ર છે. પરંતુ તેની અચાનક રચનાથી વૈજ્ઞાનિકો આશ્ચર્ય અને પરેશાન છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે દુનિયાનો અંત ક્યારે આવશે?

રિપોર્ટ્સ અનુસાર બાબા વેંગા એક ફકીર હતી જે પોતાની આંખોથી જોઈ શકતી ન હતી. તે બલ્ગેરિયાની રહેવાસી હતી અને તેણે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ હતી. તેમનો જન્મ 1911માં થયો હતો અને માત્ર 12 વર્ષની વયે તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. મળતી માહિતી મુજબ તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે પરંતુ તેમના ઘણા દાવા ખોટા પણ સાબિત થયા છે. એવું કહેવાય છે કે તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ ક્યાંય લખવામાં આવી ન હતી પરંતુ આ આગાહીઓ બાબા વેંગાએ તેમના અનુયાયીઓને કહી હતી. બાબા વેંગાનું અવસાન 1996માં થયું હતું પરંતુ તેમના મૃત્યુ પહેલા પણ તેમણે વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમના કહેવા પ્રમાણે 5079માં દુનિયાનો અંત આવશે.

આ પણ વાંચો: બાબા વેંગાની નવી ભવિષ્યવાણી, 2024માં થશે આ 4 ભયંકર ઘટનાઓ !

Back to top button