ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રસ્તા ખરાબ છે તો ટોલ શેનો લો છો? હાઇકોર્ટનો મોટો ફેંસલો

જમ્મુ-કાશ્મીર, 27 ફેબ્રુઆરી, 2025: છેલ્લા દાયકામાં ભારતમાં માળખાગત સુવિધાઓનો ઝડપી વિકાસ થયો છે. જેમાં સૌથી વધુ વિકાસ રસ્તાઓનો થયો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક ઝડપથી વિસ્તર્યું છે, અને તે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું રોડ નેટવર્ક બની ગયું છે. આ રસ્તાઓની બાંધકામ અને જાળવણી માટે ટોલ ટેક્સ એક મુખ્ય સ્ત્રોત છે. પરંતુ તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને જ્યારે રસ્તાઓ ખરાબ હાલતમાં હોય છે અને છતાં ડ્રાઇવરો પાસેથી ફી વસૂલવામાં આવે છે ત્યારે ટોલ ટેક્સ અંગે વિવાદ વધ્યો છે. સમયાંતરે, કોર્ટે પણ આ મુદ્દા પર પોતાના ચુકાદા આપ્યા છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ તરફથી તાજેતરનો નિર્ણય આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો રસ્તાની સ્થિતિ સારી ન હોય તો તમે ટોલ ટેક્સ વસૂલ કરી શકતા નથી.

અદાલતે કહ્યુ કે જો રસ્તાઓ ખરાબ હાલતમાં છે તો ટોલ ટેક્સ વસૂલવો તે અધિકારો પર તરાપ સમાન છે. સુવિધાના બદલામાં ટેક્સ ઉધરાવવામાં આવે છે, પરંતુ અહીં સુવિધાનું નામોનિશાન નથી. કોર્ટે એવો પણ નિર્દેશ કર્યો હતો કે સંબધિત ઓથોરિટી ઝડપથી રસ્તાઓની મરમ્મત અને નિર્માણ કાર્ય પૂર્ણ કરે.

ટોલ ટેક્સને લઇને શું છે નિયમ?

ભારતમાં ટોલ ટેક્સ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (ફી નક્કી કરવા અને વસૂલવા) નિયમો, 2008 હેઠળ નિયંત્રિત થાય છે. આ નિયમો રસ્તા પરિવહન અને રાજરસ્તા મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં વાહનો પાસેથી તેમની શ્રેણી અને મુસાફરી કરેલા અંતરના આધારે ટોલ વસૂલવામાં આવે છે. નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ છે કે બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ. જો આ અંતર ઓછું હોય, તો મંત્રાલયને ટોલ પ્લાઝા દૂર કરવાનો અધિકાર છે.

આ નિયમ હેઠળ, સ્થાનિક લોકોને રાહત આપવા માટે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ટોલ પ્લાઝાથી 20 કિમીની ત્રિજ્યામાં રહે છે, તો તે રહેઠાણનો પુરાવો બતાવીને માસિક પાસ મેળવી શકે છે, જેની કિંમત સામાન્ય ટોલ કરતા ઓછી છે. આ ઉપરાંત, ફાસ્ટેગ સિસ્ટમ લાગુ થયા પછી, ટોલ વસૂલાતને ઝડપી અને પારદર્શક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે, ટેકનિકલ ખામીઓને કારણે વાહનચાલકોને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

રસ્તાઓના નિર્માણ અને જાળવણી માટે ટોલ ટેક્સ એક મુખ્ય સ્ત્રોત છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે કહ્યું છે કે જો રસ્તાની સ્થિતિ ખરાબ હોય તો ટોલ ટેક્સ વસૂલ કરી શકાતો નથી. ટોલ ટેક્સ રાષ્ટ્રીય ધોરીરસ્તા ફી નિયમો, 2008 હેઠળ સંચાલિત થાય છે. વાહનની શ્રેણી અને નિશ્ચિત અંતરના આધારે ટોલ ફી વસૂલવામાં આવે છે.

સરકાર શું કહે છે?

કેન્દ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ અંગે ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમનું માનવું છે કે રસ્તાના નિર્માણ અને જાળવણી માટે ટોલ વસૂલાત જરૂરી છે, પરંતુ તે જનતા પર બોજ ન બનવો જોઈએ.

આ પણ વાંચોઃ એનબીએફસી અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓને બેન્ક વધુ લોન આપી શકશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button