ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશના લોકો લડતા રહેશે તો ભારત વિશ્વગુરુ કેવી રીતે બનશે: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુર મુદ્દે વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં આટલું બધું થયું છે અને વડાપ્રધાન ચૂપ છે. શું દેશના પીએમ આટલા અહંકારી અને ભ્રષ્ટ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં આટલું બધું થઈ રહ્યું છે, જો દેશના લોકો આ રીતે લડશે તો ભારત કેવી રીતે વિશ્વગુરૂ બનશે.

લોકોના ઘર સળગ્યા અને પીએમ મોદી મૌન છેઃ અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું, “3 મેથી 31 જુલાઈ વચ્ચે મણિપુરમાં 6500 FIR નોંધવામાં આવી પરંતુ વડાપ્રધાન ચૂપ રહ્યા. 4000 લોકોના ઘર બળી ગયા, વડાપ્રધાન મૌન રહ્યા. 60 હજાર લોકો બેઘર થયા પીએમ મૌન રહ્યા. 150થી વધુ લોકો માર્યા ગયા વડાપ્રધાન મૌન રહ્યા. 350થી વધુ ધાર્મિક સ્થળો સળગાવવામાં આવ્યા વડાપ્રધાન મૌન રહ્યા. આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસ વચ્ચે લડાઈ થઈ, ગોળીબાર થયો, આજ સુધી ભારતમાં આવું ક્યારેય બન્યું નથી.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “ભારતની સમગ્ર વિશ્વમાં થૂ-થૂ થઈ રહી છે. યુરોપિયન યુનિયનની અંદર મણિપુરની ચર્ચા કરવામાં આવી છે. અમેરિકામાં તેની ચર્ચા થઈ રહી છે. ત્યાંના નેતાઓએ હોબાળો મચાવ્યો પરંતુ વડાપ્રધાન કંઈ બોલ્યા નહીં. 4 મેના રોજ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક મહિલાને નગ્ન પરેડ કરવામાં આવી રહી છે. ઘણા લોકોએ તેની સાથે ખોટું કર્યું. તેમના મુખ્યમંત્રી કહે છે કે અહીં રોજ આવું થાય છે, વડાપ્રધાને મૌન રહ્યાં.

આ પણ વાંચો-ભાજપની ટિકિટ પર ત્રણ વખત ધારાસભ્ય બનનાર અજય રાયને યુપી કોંગ્રેસની કમાન

પીએમ મોદી પર નિશાન સાધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, “વડાપ્રધાન દેશના પિતા સમાન હોય છે. જ્યારે તમામ સિસ્ટમ નિષ્ફળ જાય છે ત્યારે લોકો વડાપ્રધાનને યાદ કરે છે. જ્યારે ઘરમાં શાકભાજી ન રંધાતા હોય, પાણી ન આવતું હોય ત્યારે તેઓ વડાપ્રધાનને યાદ કરતા નથી, પરંતુ જ્યારે તમામ સિસ્ટમ નિષ્ફળ જાય છે ત્યારે લોકો વડાપ્રધાનને યાદ કરે છે. પીએમ મોદી મણિપુરમાં અન્યાય કરવામાં આવેલી દીકરીઓ માટે પિતા સમાન છે. પરંતુ જ્યારે દીકરીઓ વડાપ્રધાનને કહેતી હોય કે તેમની ઈજ્જત લૂંટાઈ રહી છે અને પિતા કહે છે કે મારે કંઈ લેવાદેવા નથી તો દીકરીઓ ક્યાં જશે.

PMએ ભાજપના નેતાઓને મણિપુર પર ન બોલવા સૂચના આપી: દિલ્હીના CM

દિલ્હીના ભાજપના ધારાસભ્યો પર નિશાન સાધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે કે, અમારે મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. વાસ્તવમાં આ વાત ભાજપના કેટલાક ધારાસભ્યો નથી કહી રહ્યા પરંતુ પીએમ મોદીના નિર્દેશો ઉપરથી નીચે સુધી આવ્યા છે કે અમારે મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો- ભાજપની ટિકિટ પર ત્રણ વખત ધારાસભ્ય બનનાર અજય રાયને યુપી કોંગ્રેસની કમાન

Back to top button