ચારમાંથી ફક્ત ત્રણ ટિકિટ જ કન્ફર્મ થઈ હોય તો જાણો કેવી રીતે થશે ટ્રેનની સફર?


- ચાર લોકોએ એકસાથે ટ્રેનની ટિકિટ બુક કરાવી હોય અને તેમાંથી ત્રણ ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય અને એક ન થઈ હોય તો તે યાત્રી કેવી રીતે યાત્રા કરી શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ ભારતમાં દરરોજ કરોડો લોકો રેલ્વેની મુસાફરી કરે છે. જેના માટે રેલવે દ્વારા હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. ટ્રેનની મુસાફરી ખૂબ જ આરામદાયક અને અનુકૂળ છે. એટલા માટે મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો રિઝર્વેશન બાદ જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. રિઝર્વ્ડ કોચમાં લોકોને ઘણી સુવિધાઓ મળે છે. ટિકિટ બુકિંગ અંગે રેલવે દ્વારા કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે ચાર લોકોએ એકસાથે ટ્રેનની ટિકિટ બુક કરાવી હોય અને તેમાંથી ત્રણ ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય અને એક ન થઈ હોય તો તે યાત્રી કેવી રીતે યાત્રા કરી શકે છે, શું છે તેના નિયમો
વેઈટિંગ ટિકિટવાળા પણ મુસાફરી કરી શકે છે
જો ચાર મુસાફરોની ટિકિટ એક જ પીએનઆર પર બુક થઈ હોય અને તેમાંથી ત્રણ મુસાફરોની ટિકિટ કન્ફર્મ છે. અને એક મુસાફરની ટિકિટ વેઈટિંગમાં છે. તો આવા કિસ્સામાં, ચોથા મુસાફર પર આંશિક કન્ફર્મ ટિકિટનો નિયમ લાગુ પડે છે.
જો ત્રણ મુસાફરોની ટિકિટ કન્ફર્મ થઈ જાય, પરંતુ ચોથા મુસાફરની ટિકિટ કન્ફર્મ ન થાય તો પણ તે કેન્સલ થતી નથી. તે વ્યક્તિ ટિકિટ પર મુસાફરી કરી શકે છે. જોકે તેમની ટિકિટ કન્ફર્મ ન હોવાથી તેમને સીટ મળશે નહીં, પરંતુ જો મુસાફરીમાં પાછળથી કોઈ સીટ ખાલી થાય. તેથી TTE તેને તે સીટ ફાળવી શકે છે.
એક કન્ફર્મ ત્રણ વેઈટિંગ પર પણ એજ નિયમ
જો ચાર મુસાફરોએ એકસાથે ટિકિટ બુક કરાવી હોય અને તેમાંથી ફક્ત એક જ વ્યક્તિની ટિકિટ કન્ફર્મ થઈ છે. બાકીના ત્રણની કન્ફર્મ થઈ નથી, તો પણ આ જ નિયમ તે ત્રણ મુસાફરોની ટિકિટ પર પણ લાગુ પડે છે. એક મુસાફરને સીટ મળે છે. બાકીના ત્રણ મુસાફરોને સીટ મળતી નથી. જો મુસાફરી દરમિયાન ટ્રેનમાં કોઈ સીટ ખાલી થઈ જાય તો TTE તેમાંથી કોઈપણને સીટ આપી શકે છે.
આ પણ વાંચોઃ મોહમ્મદ સિરાજ અને માહિરા શર્માએ ડેટિંગની અફવાઓ પર તોડ્યું મૌન, કહી આ વાત