કોંગ્રેસે AAPને આપ્યો સાથ તો વિપક્ષી બેઠકમાં હાજર જશે કેજરીવાલ


આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદરાઘવ ચઢ્ઢા રવિવારે જાહેરાત કરી હતી. જણાવ્યું કે, ‘અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (AAP) 17-18 જુલાઈએ બેંગલુરુમાં સમાન વિચારધારા ધરાવતા પક્ષોની બેઠકમાં ભાગ લેશે’.
#WATCH | Aam Aadmi Party (AAP) under the leadership of Arvind Kejriwal will take part in the meeting of like-minded parties in Bengaluru on July 17-18: AAP MP Raghav Chadha pic.twitter.com/oRzkkyjodf
— ANI (@ANI) July 16, 2023
દિલ્હી વટહુકમને લઈને કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી (AAP) એક થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ કેન્દ્રના વટહુકમ સામે કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટીને સમર્થન આપવા જઈ રહી છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ આ અંગે ટ્વિટ કર્યું છે. રાઘવ ચઢ્ઢાએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે કોંગ્રેસે દિલ્હી વટહુકમ સામે પોતાનો સ્પષ્ટ વિરોધ જાહેર કર્યો છે. તેમણે તેને સકારાત્મક વિકાસ ગણાવ્યો છે.
Aam Aadmi Party (AAP) will take part in the joint opposition meeting in Bengaluru: AAP MP Raghav Chadha pic.twitter.com/jbhzw5ilHo
— ANI (@ANI) July 16, 2023
પટનામાં પ્રથમ મીટિંગમાં AAPએ કહ્યું કે
અરવિંદ કેજરીવાલની એક ડઝનથી વધુ વિપક્ષી દળોની આ બીજી બેઠક હશે કારણ કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો એકજૂટ રીતે સામનો કરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માગે છે. પટનામાં તેમની પ્રથમ મીટિંગમાં, તેઓએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો એક સાથે સામનો કરવાનો સંકલ્પ કર્યો.

જો કોંગ્રેસ AAPને સમર્થન આપશે તો જ…
AAPએ અગાઉ એક બેઠકમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સંસદમાં દિલ્હી વટહુકમનો વિરોધ કરવા માટે AAPને સમર્થન આપશે તો જ તે બેંગલુરુમાં બેઠકમાં જોડાશે.

પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અહીંના નિવાસસ્થાને AAPની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા – રાજકીય બાબતોની સમિતિ (PAC)ની બેઠક બાદ ચઢ્ઢાએ કેન્દ્રના નિયંત્રણ અંગેના વટહુકમનો સંસદમાં વિરોધ કરવાના કોંગ્રેસના નિર્ણયનું પણ સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો :PM મોદીએ દિલ્હી પૂર અંગે LG સાથે વાત કરી, CM કેજરીવાલ ગ્રાઉન્ડ ઝીરો પર હશે