ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે દેશવ્યાપી સંપત્તિ વિતરણ સર્વેક્ષણ કરશે’: રાહુલ ગાંધી

Text To Speech

તેલંગાણા, 7 એપ્રિલ : તેલંગાણામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના ‘જીતની આબાદી ઉતના હક’ના નારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે એક નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરશે. અને જાણવાનો પ્રયાસ કરશે કે દેશની મહત્તમ સંપત્તિ પર કોનું નિયંત્રણ છે. કોંગ્રેસનો ઢંઢેરો જાહેર કર્યા બાદ હૈદરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે જો પાર્ટી સત્તામાં આવશે તો દેશવ્યાપી જાતિ ગણતરી ઉપરાંત સંપત્તિ સર્વેક્ષણ કરવામાં આવશે, આ અમારું વચન છે.

તેમણે કહ્યું, ‘અમે અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને લઘુમતી સમુદાયમાંથી કેટલા લોકો છે તે નિર્ધારિત કરવા માટે અમે સૌપ્રથમ દેશવ્યાપી જાતિ ગણતરી હાથ ધરીશું. તે પછી, સંપત્તિના સમાન વિતરણની ખાતરી કરવા માટે એક ઐતિહાસિક પગલામાં, અમે નાણાકીય અને સંસ્થાકીય સર્વેક્ષણ હાથ ધરશું. પાર્ટી તમામ ક્ષેત્રોમાં તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે તે વાત પર ભાર મૂકતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સુનિશ્ચિત કરશે કે તે લોકોને તેમનો યોગ્ય હિસ્સો આપે.

રાહુલ ગાંધીએ કહ્યું કે SC, ST, OBC અને લઘુમતીઓની સંખ્યા દેશની કુલ વસ્તીના 90 ટકા છે. તેમણે કહ્યું, ‘પણ, તમે તેમને નોકરીમાં જોશો નહીં. સત્ય એ છે કે આ વસ્તીના 90 ટકા લોકો પાસે સરકારમાં કોઈ ભાગીદારી નથી. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ’90 IAS ઓફિસર છે જેઓ દેશનો વહીવટ ચલાવે છે. પરંતુ તેમાંથી માત્ર 3 ઓબીસી, 1 આદિવાસી અને 3 દલિત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશની સંપત્તિ, નોકરીઓ અને અન્ય જન કલ્યાણ યોજનાઓને સમુદાયોની વસ્તી અનુસાર વહેંચવાનું કામ કરશે.

તેલંગાણામાં 17 લોકસભા સીટો માટે 13 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. તેલંગાણામાં જ્યાં રાહુલ ગાંધી રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે જ જગ્યાએ સોનિયા ગાંધીએ ગયા વર્ષે કોંગ્રેસની 6 ગેરંટીની જાહેરાત કરી હતી.

Back to top button