ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ IAS અધિકારીઓની બદલીના આદેશ
![Text To Speech Text To Speech](https://humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://humdekhenge.in/wp-content/uploads/2022/12/IAS-111.jpg)
વિધાનસભાની ચૂંટણી બાદ પણ રાજ્યમાં અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. ત્યારે ચૂંટણીમાં આચાર સંહિતા લાગી ગયા બાદ કોઈ અધિકારીની બદલી કરવામાં આવી ન હતી પણ ચૂંટણી પુરી થતા જ આજે બે IAS અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
બે અધિકારીઓની બદલી
અગાઉ ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા અનેક બદલીઓ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી એક વાર 2 IAS અધિકારીઓની બદલી કરાઈ હોવાની માહિતી મળી રહી છે. જેમાં મોના ખંધાર તેમજ મિલિંદ તોરવરણેની બદલી કરવામાં આવી છે.
![IAS-HUM DEKHENGE NEWS](https://humdekhenge.in/wp-content/uploads/2022/12/IAS.jpg)
આ પણ વાંચો: ગુજરાતમાં નવી સરકારે પ્રથમ સત્ર આજે એક દિવસનું કર્યું, જાણો કેમ
આઈએએસ અધિકારી મોના ખંધારની બદલી કરીને ફાઈનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેમજ મિલિંદ તોરવણેને ટેક્સ વિભાગના ચિફ કમિશનર બનાવવામાં આવ્યા છે.