‘હું જીવિત છું’ હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિનોદ કાંબલીની પ્રતિક્રિયા


- તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો છે, તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે
મહારાષ્ટ્ર, 24 ડિસેમ્બર: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત શનિવારે વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેમને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની ટીમ તેની સંભાળ લઈ રહી છે અને જરૂરી તમામ ટેસ્ટ કરવામાં આવી રહી છે. તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ પહેલા પણ કાંબલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. હવે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમણે ડોક્ટરોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, તેમના કારણે જ તે જીવિત છે.
VIDEO | “We always had a cricketing image of sir (Vinod Kambli) in our mind. So, it inspired us that sir needs us and so, the entire team decide to do something for sir. He keeps telling us about his good memories,” says a doctor at Akruti Hospital. pic.twitter.com/n4OA1aeSGe
— Press Trust of India (@PTI_News) December 23, 2024
ડોકટરોનો આભાર માન્યો
વિનોદ કાંબલી હૉસ્પિટલમાં પલંગ પર સૂતા હસતાં જોવા મળે છે. તેમણે કહ્યું કે હું અહીંના ડોક્ટરોના કારણે જીવિત છું. હું એટલું જ કહીશ કે સાહેબ (ડૉક્ટર) મને જે કહેશે, હું તે કરીશ. લોકો જોશે કે હું તેમને શું શીખવીશ. સચિન વિશે બોલતા તેમણે કહ્યું કે, તેઓ લંડન જતાં રહ્યા હતા, પરંતુ તેમને ખબર પડશે અને તમે લોકો જ તેમને કહેશો.
કાંબલીની હાલતમાં સુધારો થયો
જ્યારે વિનોદ કાંબલીને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારપછી તેને શરીરે તીવ્ર ખેંચાણ હતી. તે બેસી કે ચાલવામાં અસમર્થ હતો. એડમિશન વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે તેના સ્વસ્થ થવાના સંકેતો છે અને તે ભૂતપૂર્વ ક્રિકેટરો, ડોક્ટરો અને તેના ચાહકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ખુશી હતી. તેના એક ચાહકે તેની સારવારનો ખર્ચ ઉઠાવ્યો છે.
આ પણ જૂઓ: સંધ્યા થિયેટર દુર્ઘટના અંગે અલ્લુ અર્જુનને વધુ એક નોટિસ, હૈદરાબાદ પોલીસ સમક્ષ થવું પડશે હાજર