મહાકુંભમાં જવા માટે બિહારના રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી, ટ્રેનમાં કાચ તોડી પબ્લિક ડબ્બામાં ઘુસી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/indian-railways.jpg)
નવાદા, 11 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાનને લઈને બિહારની ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં જગ્યા ન મળતા નારાજ જનતા સ્વતંત્રતા સેનાની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનામાં કેટલાય મુસાફરો ઘાયલ થઈ ગયા હતા.
સ્વતંત્રતા સેનાની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના કાચ તોડી નાખ્યા
ઘટનાના સંબંધમાં ટ્રેનમાં સવાર યાત્રીઓને જણાવવાનું છે કે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં કુંભ સ્નાનને લઈને મુસાફરોની ભારે ભીડ હતી. જનરલ કંપાર્ટમેન્ટથી લઈને એસી કોચમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી. મધુબની સ્ટેશન પર ટ્રેનમાં ચઢવાની કોશિશ કરી રહ્યા હતા. ટ્રેનમાં પહેલાથી જ ભીડ હોવાના કારણે ડબ્બાના દરવાજો બંધ હતા. જેના કારણે મધુબની સ્ટેશન પર ટ્રેનમાં ચઢવા માટે મુસાફરોએ ટ્રેનના એસી કોચના કાચ તોડી નાખ્યા હતા.
मधुबनी स्टेशन पर स्वतंत्रता सेनानी एक्सप्रेस के AC कोच के शीशे तोड़ दिए गए। #TRAIN #MahaKumbh2025 #BreakingNews #Bihar pic.twitter.com/P6v926KKQl
— MOHAMMAD IRFAN (@irfanraza888) February 11, 2025
તેમાં કેટલાય મુસાફરોને ઘાયલ થઈ ગયા હતા. આ ઘટના બાદથી ટ્રેનમાં સવાર મુસાફરોને રેલ પ્રશાસનને લઈને નારાજગી જોવા મળી હતી. યાત્રીઓનું કહેવું હતું કે, ઘટના દરમ્યાન ત્યાં ન તો કોઈ ટીટીઈ હતા ન કોઈ સુરક્ષાકર્મી.
કિઅલ-ગયા રેલખંડના નવાદા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ગોડા-નવી દિલ્હી હમસફર રોકાતા અફરાતફરી મચી ગઈ હતી. હકીકતમાં નવાદા સ્ટેશન પર માઘ પૂર્ણિમાને લઈને કુંભ સ્નાન માટે જતી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. જેના કારણે કેટલાય રિઝર્વેશનવાળા યાત્રીઓની ટ્રેન છુટી ગઈ અને યાત્રીઓની સુરક્ષાને લઈને રેલ પ્રશાસન પર સવાલો થઈ રહ્યા છે.