ધર્મ

વર્ષ 2023 માં શનિવારે મનાવામાં આવતી મકરસંક્રાંતિ પર શનિના દોષોથી આ રીતે મેળવો મુક્તિ

Text To Speech

શનિ દોષ માટેના ઉપાયઃ આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી 2023 શનિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશથી લોકોના જીવનમાં પરિવર્તન જોવા મળશે. જો તમે મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારું જીવન ભાગ્યશાળી બનશે.

આ પણ વાંચો : મકરસંક્રાતિ પર સૂર્યનું થશે શનિની રાશિમાં પ્રવેશ, આ રાશિના લોકોને થશે લાભ

વર્ષ 2023માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી શનિવારના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે, આ દિવસે લોકો સ્નાન વગેરે કરીને સૂર્યની પૂજા કરે છે અને દાન પણ કરે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે શુભ કાર્ય, લગ્ન વગેરે શુભ કામો પણ શરૂ થાય છે.

શનિ દોષ માટેના ઉપાય - Humdekhengenews

સૂર્ય ભગવાનનો મકર રાશિમાં પ્રવેશ માત્ર રાશિચક્રને જ અસર કરતું નથી, પરંતુ તેની સકારાત્મકતા સમગ્ર વાતાવરણમાં જોવા મળે છે. મકરસંક્રાંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે દેશના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. કેટલાક લોકો તેને ખીચડી, પોંગલ અને ઉત્તરાયણ નામથી ઓળખે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે દાન કરે છે તો તેનો લાભ પ્રાપ્ત થાય છે. આ વર્ષે મકરસંક્રાંતિ શનિવારે આવી રહી છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું યોગ્ય છે.

આ પણ વાંચો : નવા વર્ષમાં ઘરમાં ખુશીઓ લાવવા કરી લો વાસ્તુના આ નિયમોનું પાલન

અડદની દાળ

જ્યોતિષશાસ્ત્રમાં અડદની દાળને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમે શનિ દોષથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને અડદની દાળ દાન કરી શકો છો.

શનિ દોષ માટેના ઉપાય - Humdekhengenews

કાળા તલનું દાન

તમે મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે કાળા તલનું દાન કુંડળીમાંથી શનિ દોષ પણ દૂર કરે છે.

કાળા કપડા કે ધાબળાનું દાન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે મકરસંક્રાંતિના દિવસે કાળા કપડા કે ધાબળાનું દાન કરો છો તો તમને તેનુ સારું ફળ મળશે. જો તમે જરૂરિયાતમંદોને કાળા કપડા અથવા ધાબળા આપી રહ્યા છો તો તમને ચોક્કસપણે સારા પરિણામ મળશે.

Back to top button