ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ દિવસ અને રાત વચ્ચે કેવી રીતે તફાવત કરે છે?

Text To Speech

સ્પેસ, 10 જાન્યુઆરી : પૃથ્વી પર રહેતા લોકો માટે 24 કલાકમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત એકવાર થાય છે. પરંતુ, અવકાશમાં ક્યારેય સૂર્યાસ્ત થતો નથી. વાસ્તવમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ પરિભ્રમણ મુજબ પૃથ્વીનો જે ભાગ સૂર્યની સીધી રેખામાં છે તે દિવસ છે અને જે ભાગ સૂર્યની પાછળ છે તે રાત્રિ પરંતુ, સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ માટે દિવસ અને રાત થતાં જ નથી. કારણ કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી સરેરાશ 400 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે. આ સ્પેસ સ્ટેશન એક જગ્યાએ સ્થિર નથી, સ્પેસ સ્ટેશન પૃથ્વીની આસપાસ લંબગોળ માર્ગ પર સતત ફર્યા કરે છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન

પૃથ્વીની બહાર અવકાશ મથકમાં દરેક સમયે 5 થી 6 અવકાશયાત્રીઓ રહે છે. જેમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસા, રશિયાની રોસકોસમોસ, યુરોપની ESA, જાપાનની JAXA અને કેનેડાની સ્પેસ એજન્સી CSAના અવકાશયાત્રીઓ સામેલ છે. હવે સવાલ એ થાય છે કે આ લોકોને દિવસ અને રાતની ખબર કેવી રીતે પડે છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી 400 કિલોમીટરની સરેરાશ ઉંચાઈ પર સ્થિત છે.

અવકાશયાત્રીઓ દિવસ અને રાત કેવી રીતે જાણે છે?

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પૃથ્વીની આસપાસ 27,600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. સમયની વાત કરીએ તો તે 90 મિનિટમાં પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. એટલે કે જે રીતે પૃથ્વીનો અડધો ભાગ સૂર્યની સામે અડધો સમય અને અડધો સમય સૂર્યની પાછળ રહે છે. એ જ રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ લગભગ અડધો સમય સૂર્યપ્રકાશમાં અને બાકીનો સમય પૃથ્વીના પડછાયામાં રહે છે.

એટલે કે સ્પેસ સ્ટેશન એક પરિક્રમામાં લગભગ 45 મિનિટ અંધકારમાં અને 45 મિનિટ પ્રકાશમાં રહે છે. તેથી સ્પેસ સ્ટેશનમાં 24 કલાકમાં સૂર્યોદય 16 વખત અને સૂર્યાસ્ત 16 વખત થાય છે. આ ઉપરાંત, સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ માટે સૂવાના રૂમમાં ઘણી હાઇટેક વ્યવસ્થા છે. જેમ કે, બહાર પ્રકાશ હોય તો પણ રૂમમાં સંપૂર્ણ રાત્રિનું વાતાવરણ હોય છે અને આ વાતાવરણમાં અવકાશયાત્રીઓ આરામથી સૂઈ શકે છે.

આ પણ વાંચો : સૂર્યમાળાનો એ નાનકડો ગ્રહ, જ્યાં હોઇ શકે છે હીરાનો ખજાનો

Back to top button