ટ્રેન્ડિંગમનોરંજન

કિયારા સાથે લગ્નની વાત પર સિદ્ધાર્થે કેવી પ્રતિક્રિયા આપી ? જુઓ તેનો વાયરલ અંદાજ !

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ વર્ષે લગ્નનાં બંધનમાં બંધાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અભિનેતાએ પણ ઘણી વખત આડી રીતે આ વાતનો સ્વીકાર કર્યો છે, જો કે બંનેમાંથી કોઈએ પણ આ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે વધુ એક વખત આ મામલે સિદ્ધાર્થની પ્રતિક્રિયા સામે આવી છે. હકીકતમાં તાજેતરમાં જ સિદ્ધાર્થને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તે શરમાય ગયો હતો અને તેણે તરત જ વિષય બદલી નાખ્યો હતો.

આ પણ વાંચો : નવા વર્ષમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન, જાણો ક્યારે અને ક્યાં લેશે ફેરા

લગ્ન વિશે પૂછતા જ શરમાયો સિદ્ધાર્થ 

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં અભિનેત્રી અને મોડલ આરતી ક્ષેત્રપાલના ભાઈ લવ બંસલ અને નંદિની ગુપ્તાના લગ્નમાં હાજરી આપી હતી. દિલ્હીમાં આયોજિત આ ભવ્ય લગ્નમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ગેસ્ટ તરીકે આવ્યો હતો અને તેણે લગ્નના કપલ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. તેનો વીડિયો આરતી ક્ષેત્રપાલ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. દિલ્હીના આ ભવ્ય લગ્નમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પૂરી રીતે એન્જોય કરતો જોવા મળ્યો હતો. અભિનેતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી સાથેના લગ્ન વિશે પૂછવામાં આવતાં તે શરમાતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aarti Khetarpal (@iaartikhetarpal)

વીડિયો થયો વાયરલ 

વિડિયો અને તસવીરો શેર કરતાં, આરતીએ તેને કૅપ્શન આપ્યું: “મારા પ્રિય @lovebansal @nandini.15ની સગાઈમાં અમારા પોતાના જ દિલ્હીના છોકરા @sidmalhotra અમારા પરિવારના લગ્નમાં.” તસવીરોમાં સિદ્ધાર્થ વર-કન્યા અને તેમના પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતો જોવા મળે છે. સિદ્ધાર્થને એવું કહેતા સાંભળી શકાય છે, “દિલ્હી કી શાદીઓ કી બાત હૈ કુછ ઔર હૈ.”

જો કે, જ્યારે સ્ટેજ પર એક વ્યક્તિએ અભિનેતાને પૂછ્યું, “દિલ્હી કા લડકા ભી જલ્દ હી શાદી કરને જા રહા હૈ..?” આ સવાલ સાંભળીને સિદ્ધાર્થ શરમાઈ જાય છે. લગ્નમાં સિદ્ધાર્થ સિવાય ટીવી અને બોલિવૂડના અન્ય સ્ટાર્સ પણ સામેલ થયા હતા. તેમાં કરિશ્મા તન્ના, શંકર એહસાન લોય, સોનલ ચૌહાણ, હુસૈન અને રાઘવ સચ્ચર પણ હતા.

Siddharth and Kiyara - Hum Dekhenge News
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની અફવાઓ જોરશોરથી ચાલી રહી છે

તમને જણાવી દઈએ કે, છેલ્લા સમયથી સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની અફવાઓ જોરશોરથી ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ કપલ ફેબ્રુઆરી 2023માં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાર્થે રેડિયો ફિવર એફએમ સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું આ વર્ષે લગ્ન કરી રહ્યો છું….”

આ સિવાય સિદ્ધાર્થ આગામી સમયમાં રશ્મિકા મંદન્ના સાથે મિશન મજનૂમાં જોવા મળશે. આ ફિલ્મ 20 જાન્યુઆરી, 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

Back to top button