ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકના CM સિદ્ધારમૈયાને HCમાંથી ઝટકો, રાજ્યપાલના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર

Text To Speech
  • અરજીમાં જણાવવામાં આવેલા તથ્યોની તપાસ કરવાની જરૂર છે: હાઈકોર્ટ

બેંગલુરુ, 24 સપ્ટેમ્બરઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને MUDA જમીન કૌભાંડ કેસમાં આજે મંગળવારે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં રાજ્યપાલ સામેની તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે અને રાજ્યપાલના આદેશને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, અરજીમાં જણાવવામાં આવેલા તથ્યોની તપાસ કરવાની જરૂર છે. આમ કહીને હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ કાર્યવાહીને મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલે આ મામલે સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

રાજ્યપાલે શું આદેશ આપ્યો હતો?

હકીકટમાં, આ મુદ્દો 3.14 એકર જમીનના ટુકડાને લગતો છે, જે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના નામે છે. ભાજપ આ મામલાને લઈને મુખ્યમંત્રી અને તેમની સરકાર પર સતત પ્રહારો કરી રહી છે અને CM સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે. આ કેસમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

બીજી તરફ સિદ્ધારમૈયા અત્યાર સુધી આ તમામ આરોપોને ફગાવી રહ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય પણ ગણાવ્યો હતો. આ પછી, તેમણે રાજ્યપાલના નિર્ણયને કાનૂની પડકાર આપતા કોર્ટનો સંપર્ક કર્યો હતો. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, રાજ્યપાલ સરકારને સહન કરી શકતા નથી અને તેને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

MUDA શું છે?

મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને ટુંકમાં MUDA કહેવામાં આવે છે. જે મૈસુર શહેરના વિકાસ કાર્યો માટે એક સત્તાવાર સ્વાયત્ત સંસ્થા એટલે કે ઓટોનોમસ બોડી છે. જેની જમીન સંપાદન અને ફાળવણીની કામગીરી સત્તાધિકારીની જવાબદારી છે. આ મામલો જમીન કૌભાંડનો છે, આથી MUDAનું નામ શરૂઆતથી (2004)થી આ મામલાની સાથે જોડાયેલું છે. આ કેસ MUDA તરફથી એ સમયે વળતર તરીકે જમીનની ફાળવણી સાથે સંબંધિત છે, જ્યારે સિદ્ધારમૈયા ડેપ્યુટી મુખ્યમંત્રી હતા. આ પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકરોએ કર્યો છે. જેના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું છે. આ કેસમાં MUDA અને રેવન્યુ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નામ પણ બહાર આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ વર્ષ 1992માં ખેડૂતો પાસેથી કેટલીક જમીન તેને રહેણાંક વિસ્તારમાં વિકસાવવા માટે લીધી હતી. જેને પ્રક્રિયાના ભાગરૂપે તેને ખેતીની જમીનથી અલગ કરવામાં આવ્યા હતા, પરંતુ 1998માં MUDA દ્વારા સંપાદિત જમીનનો એક ભાગ ખેડૂતોને પરત કરવામાં આવ્યો હતો. આ રીતે આ જમીન ફરી એકવાર ખેતીની જમીન બની. અત્યાર સુધી બધું બરાબર હતું. હવે આ વિવાદ વર્ષ 2004થી શરૂ થયો હતો, આ દરમિયાન સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈ બી.એમ. મલ્લિકાર્જુને વર્ષ 2004માં આ જ જમીનમાં 3.16 એકર જમીન ખરીદી હતી. આ સમયગાળા દરમિયાન, 2004-05માં, કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનની સરકાર હતી અને તે સમયે સિદ્ધારમૈયા ડેપ્યુટી સીએમ હતા. આ સમય દરમિયાન, તે બહાર આવ્યું કે આ જમીન ફરી એકવાર ખેતીની જમીનથી અલગ થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી સિદ્ધારમૈયા પરિવાર જમીનની માલિકી લેવા માટે પહોંચ્યો ત્યાં સુધીમાં લેઆઉટ તૈયાર થઈ ચૂક્યો હતો.

આ પણ જૂઓ: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની કાર વરસાદ વચ્ચે પાણી ભરેલા રોડ પર ખાડામાં ફસાઈ, જુઓ વીડિયો

Back to top button