અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હિરાસર: ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર, ગુરુવારે ઉદ્ઘાટન કરશે PM મોદી

HD ન્યુઝ ડેસ્ક: PMએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ માટે ચોટીલા નજીક હિરાસર ગામમાં 7 ઓક્ટોબર, 2017ના રોજ ભૂમિપૂજન કર્યું હતું . નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. તેઓ ગુરુવારે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ ગુરુવારે ઉદ્ઘાટન કરશે PM મોદી
ગ્રીનફિલ્ડ એરપોર્ટ ગુરુવારે ઉદ્ઘાટન કરશે PM મોદી

હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની આ છે ખાસ વાત

ગ્રીનફિલ્ડ એરપોર્ટ ગુરુવારે ઉદ્ઘાટન કરશે PM મોદી (1)
ગ્રીનફિલ્ડ એરપોર્ટ ગુરુવારે ઉદ્ઘાટન કરશે PM મોદી (1)

  • રાજકોટથી આશરે 30 કિમી દૂર , NH-27 પાસે, હિરાસર ગામમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે.
  • આ એરપોર્ટ રૂ. 1,405 કરોડના ખર્ચે ઉભું કરવામાં આવ્યું છે.
  • પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • એરપોર્ટ 1025.50 હેક્ટર (2534 એકર) વિસ્તારમાં ફેલાયેલું છે જેમાંથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 1500 એકર વિસ્તારમાં એરપોર્ટનું નિર્માણ કર્યું છે. તેની પાસે 3040 મીટર (3.04 કિમી) લાંબો અને 45-મીટર-પહોળો રનવે છે જે કોઈપણ સમયે 14 પ્લેન પાર્ક કરી શકે છે.
  • એપ્રોન 50,800 ચો.મી.ના વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે.
  • પેસેન્જર ટર્મિનલ 23,000 ચો.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તે પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1280 પ્રવાસીઓનું સંચાલન કરી શકે છે.
  • આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી “C” પ્રકારના વિમાનો પણ ઓપરેટ કરી શકે છે, જેમાં ભવિષ્યમાં ‘E’ પ્રકારના વિમાનોની વ્યવસ્થા છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવા મોટા કદના વિમાનોની સેવાઓનો લાભ મેળવી શકશે.
  • એરપોર્ટસોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમથી સજ્જ છે. એરપોર્ટ પર એક સમાંતર હાફ ટેક્સી-વે, ઝડપી એક્ઝિટ ટેક્સી ટ્રેક, વચગાળાનું ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને MRO/હેંગર હશે.
  • ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (AIP) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે જરૂરી છે. એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમ કે – ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને 8 ચેક-ઇન કાઉન્ટર (ભવિષ્યમાં અન્ય 12 ચેક-ઇન કાઉન્ટર ઉમેરવામાં આવશે) અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમ્સ પણ છે.
  • એર ટ્રાફિક કંટ્રોલર (ATC), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડીંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત 524 એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે.
  • એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.

આ પણ વાંચો :PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટને આપશે મોટી ભેટ

Back to top button