શીઝાન ખાનની જામીન અરજી પર સુનાવણી ટળી, 11 જાન્યુઆરી સુધી રહેવું પડશે જેલમાં


તુનિષા શર્મા કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં તુનિષાના પૂર્વ બોયફ્રેન્ડ અને ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’ના મુખ્ય અભિનેતા શીઝાન ખાનની પૂછપરછ કરી રહી છે. દરમિયાન શીઝાન ખાનના વકીલે અભિનેતાના જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી વસઈ કોર્ટમાં થઈ હતી. શીઝાન ખાનના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ તુનિષાના વકીલ અને સરકાર પક્ષે સમય માંગ્યો હતો.
Tunisha Sharma death case | Bail plea of accused Sheezan Khan adjourned till 11th January by Vasai Court.
We have asked for another date further & we'll be keeping our perspective in the court on January 11: Tunisha's family's advocate Tarun Sharma pic.twitter.com/xkbrAbjjkh
— ANI (@ANI) January 9, 2023
કોર્ટે આ કેસની સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. તુનિષાએ કથિત રૂપે 24 ડિસેમ્બરના રોજ સેટ પર આત્મહત્યા કરી હતી, તેણીએ શીઝાન સાથે બ્રેકઅપ કર્યાના પખવાડિયા પછી આ પગલું ભર્યું હતું. 25 ડિસેમ્બરે શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી શીઝાન ન્યાયિક કસ્ટડીમાં છે.

આ દરમિયાન તુનિષાની માતા વનિતા શર્માએ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તે કહે છે કે શીઝાન જાણીજોઈને તુનિષાને દૂરની હોસ્પિટલમાં લઈ ગયો, જ્યારે સેટથી માત્ર 5 મિનિટના અંતરે હોસ્પિટલો હતી.