ગુજરાત

હાર્દિકના રાજીનામાં બાદ તેનું વધું એક ટ્વિટ વાયરલ, લગભગ બે વર્ષ જૂનાં ટ્વિટમાં શું લખ્યું હતું હાર્દિકે

Text To Speech

લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ત્યારે આ રાજીનામાં બાદ હાર્દિકનું વધુ એક ટ્વિટ વાયરલ થયું છે. લગભગ દોઢ-બે વર્ષ જૂના આ ટ્વિટમાં હાર્દિક કોંગ્રેસનો સાથ કયારેય નહીં છોડું તેવું જણાવ્યું હતું. જો કે હાર્દિક બુધવારે પક્ષમાંથી રાજીનામું આપતાં હાલ આ ટ્વિટ ભારે વાયરલ થઈ રહ્યું છે.

હાર્દિકે આ ટ્વિટ 2020માં યોજાયેલી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કર્યું હતું

લગભગ બે વર્ષ જૂનું હાર્દિકનું ટ્વિટ વાયરલ
વાયરલ થયેલા ટ્વિટમાં હાર્દિક લખ્યું હતું. હાર-જીતના કારણે વેપારીઓ બદલાય છે, વિચારધારાના અનુયાયીઓ નહીં, હું લડીશ, જીતીશ અને મારા મૃત્યુ સુધી કોંગ્રેસમાં જ રહીશ.” હાર્દિકે આ ટ્વિટ 2020માં યોજાયેલી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કર્યું હતું. આ પેટાચૂંટણીમાં તમામ આઠ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થયો હતો.

હાર્દિક વ્યક્ત કરી હતી નારાજગી
કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીને લખેલા પત્રમાં હાર્દિકે લખ્યું હતું કે”મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં દરેક જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા પાડ્યા છે. બદલામાં, તેમણે પોતે જ રાજકીય વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ પ્રકારે વેચવા એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.

Back to top button