ગુજરાતટોપ ન્યૂઝ

સરકાર સામે હવે એસટી નિગમ અને ચોથા વર્ગના કર્મચારીઓએ મોરચો માંડ્શે

Text To Speech

રાજ્ય સરકાર સામે એક પછી એક આંદોલનો જાણે ઊભા થઈ રહ્યા છે. ત્યારે હજી પેન્શન યોજના અંગેનો મામલો શાંત નથી થઈ રહ્યો ત્યાં તો હવે એસટી નિગમનું સંગઠન સરકારની સામે ઉગ્ર રીતે આવી રહ્યું છે. પોતાની 13 અલગ અલગ માંગણીઓના પડતર પ્રશ્નના ઉકેલ લાવવા ત્રણ સંગઠન મેદાને પડ્યા છે. આ ઉપરાંત પણ વિવિધ માંગણીઓને લઈને હવે ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.

ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડલ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.

શું છે એસટી નિગમની માગણીઓ ?

  • ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેમાં વધારો અમલી
  • મોંઘવારી ભથ્થા પેટે 17 ટકાની ચુકવણી કરાઈ નથી
  • વર્ષ 1997 બાદ ભથ્થામાં કોઈ સુધાર નહિ
  • એસટીના કર્મચારીઓને સાતમા પગા પંચનો લાભ
  • હક્ક રજાની રોકડમાં ચુકવણીની પણ સરકાર સામે માગ
  • રોજમદાર,બદલી કામદાર અને વર્ગ 4ના કામદારોને એક્સગ્રેસીયા બોનસનો લાભ મળે

ચોથા વર્ગના કર્મચારીઓની પણ તૈયારી

સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણમાં વિવિધ માગોને લઈને આવતીકાલે ચોથા વર્ગના કર્મચારી ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.

આ પણ વાંચો : સરકાર સામે એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ, હવે એસટી વિભાગનો વિરોધ

બીજી તરફ નિવૃત આર્મી જવાનોના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નિવૃત્ત આર્મિ જવાનોની બેઠક નિષ્ફળ રહી છે. જેથી નિવૃત્ત આર્મી જવાનોના દેખાવો યથાવત રહેશે. માંગણીઓ સંદર્ભે લેખિત બાંહેધરી ન અપાતા નિવૃત્ત આર્મી જવાનો દેખાવો યથાવત રાખશે.

Back to top button