ગુજરાત: નર્સિંગની પરીક્ષા માન્ય રાખવી કે નહીં? GTU ને સોંપાયો રિપોર્ટ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/12/Exam.jpg)
- નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા
- 1903 સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
- આરોપ છે કે, ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો
ગુજરાતમાં છાશવારે પરીક્ષાના પેપર ફૂટવાથી લઈને પરીક્ષામાં થતાં ગોટાળાને લઈને પ્રશ્ન થતાં રહે છે. ત્યારે હવે ફરીથી નર્સિંગની પરીક્ષામાં પણ ગોટાળો સામે આવ્યો છે, જેને લઈને રાજ્યભરમાં વિવાદ થઈ રહ્યો છે.
નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા
નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા હતાં. લોકોનો આરોપ છે કે, ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિણામે ગુજરાત ટેક્નિકલ યુનિર્સિટી અને રાજ્ય આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં મૂકાયું છે. આ દરમિયાન જીટીયુએ આ સમગ્ર મામલે રાજ્ય આરોગ્ય વિભાગને એક રિપોર્ટ સુપરત કર્યો છે. ત્યારબાદ હવે નર્સિંગની પરીક્ષા માન્ય રાખવી કે નહીં તે અંગે એકાદ દિવસમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે.
1903 સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
1903 સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલો ઉઠ્યાં છે. આરોગ્ય વિભાગે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપી હતી. પરંતુ, અલગ-અલગ પ્રકારના પેપરના જવાબમાં આન્સર-કી માં એબીસીડી ક્રમમાં સાચા જવાબ લખાયા હતાં. જેથી પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આન્સર કીમાં વિકલ્પરૂપી જવાબ ક્રમબદ્ધ નથી હોતા જેના કારણે આ મામલે વિવાદ થઈ રહ્યો છે.