કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત ફરી શર્મસાર : સુરેન્દ્રનગરના થાનમાં સગીરા સાથે 7 શખસોનું દુષ્કર્મ

Text To Speech
  • સાત મહિનાના સમયગાળામાં અલગ-અલગ જગ્યાઓ ઉપર લઈ જઈ દેહ પીંખવામાં આવ્યો 
  • ભોગ બનનારની માતાએ મદદગારી કરનાર સહિત 8 સામે નોંધાવી ફરિયાદ 
  • પોલીસે એક શખસની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી

સુરેન્દ્રનગર, 18 ઓક્ટોબર : ગુજરાતની ધરતી ફરી એકવાર નરાધમોના કારણે શર્મસાર થઈ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતી એક સગીરા ઉપર 7 શખ્સોએ છેલ્લા 7 મહિના દરમિયાન અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

આ ઘટનામાં ભોગ બનનારની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ દ્વારા પીડિતાને અલગ અલગ સમયે અને સ્થળે ધમકી આપી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની જાણ થતાં થાન પોલીસ દ્વારા દુષ્કર્મ મામલે થાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઇ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઈ સદાદીયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

દરમિયાન બનાવ અંગે ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં થાનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના કહ્યા મુજબ તેમની દીકરી સાથે અલગ અલગ સમયે અલગ અલગ વ્યકિત દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. દીકરીની ઉંમર 18 વર્ષથી નાની હોય બળજબરી પૂર્વક લઈ જવાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં આઠ લોકોના નામ છે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ બનાવ સામુહિક દુષ્કર્મનો નથી. તમામ બનાવ છેલ્લા સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ બન્યા છે.

આ પણ વાંચો :- મૃત્યુનો ડર! ઇઝરાયેલી ડ્રોન જોઈને હમાસના ચીફે આપી આવી પ્રતિક્રિયા; જૂઓ વીડિયો

Back to top button