ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિકસિત ગુજરાત-2047નો રોડમેપ તૈયાર કરવામા દેશમા ગુજરાત મોખરે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

  • 350 કરોડનો રિંગ રોડ બનવાથી ભાવનગરની કાયાપલટ થશે
  • લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલના બે પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર
  • પ્રાકૃતિક કૃષિ અપનાવીને સુખી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ

ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે રૂ.310 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ છે. જેમાં ધોલેરામાં બનનારા સેમિકન્ડકટરથી ભાવનગરને વધુ ફાયદો થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. તથા 350 કરોડનો રિંગ રોડ બનવાથી ભાવનગરની કાયાપલટ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું કે, ગુજરાતે વિકસિત ગુજરાત@2047 રોડમેપ તૈયાર કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા કેટલી થઇ મેઘમહેર

લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલના બે પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર

વિકસિત ભારતની લીડ ગુજરાત લેશે. લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલના બે પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે સેમિકન્ડકટર ક્ષેત્રમાં ગુજરાતને સફ્ળતા મળી છે. ધોલેરામાં બનનારા સેમિકન્ડકટરથી ભાવનગરને વધુ ફાયદો થશે. આ ઉપરાંત ભાવનગરમાં 350 કરોડનો રિંગ રોડ બનવાથી આ વિસ્તારની કાયાપલટ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટરીયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં રૂ.310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી.

પ્રાકૃતિક કૃષિ અપનાવીને સુખી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતીઓ સામેવાળાની ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે. આપણને ગુજરાતી ભાષામા ગૌરવ હોવુ જોઈએ. આપણી ગુજરાતી ભાષામાં જ બીજા સાથે વાત કરવી જોઈએ. બીજા દેશના લોકો પોતાની ભાષા જ બોલે છે. અંગ્રેજી વિના પણ બધા જ કામ થાય છે. કોઈ તકલીફ પડતી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા જાળવવા માટે માર્મિક ટકોર કરતા કહ્યું કે, આપણે ત્યાં ભણેલા- ગણેલા લોકો પણ સ્કૂટર પરથી કચરો ફેકે છે એ બાબત યોગ્ય નથી. આવનારી પેઢીના ભવિષ્ય માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આખુ ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર બને તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે આપણે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સુખી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પાણી અને પર્યાવરણ બચાવવા માટે પણ તેમણે અપીલ કરી હતી.

Back to top button