ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

PM મોદીએ સાબર ડેરીના પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, ભુરાભાઈ પટેલને કર્યા યાદ

Text To Speech

સાબરકાંઠાને પ્રધાનમંત્રી મોદીએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં સાબર ડેરીના વિવિધ પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું છે. તેમાં ચીઝ પ્લાન્ટ 600 કરોડના ખર્ચે તૈયાર થયો છે. તેમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે આજે સાબરડેરીનો વિસ્તાર થયો છે. પશુઓની ચિકિત્સા આયુર્વેદિક પદ્ધતિથી થઇ રહી છે. જ્યોતિગ્રામ યોજનાથી ગામડે ગામડે વીજળી પહોચી છે.

પીએમ મોદીએ વિવિધ વિકાસકાર્યોનું કર્યું ઉદ્ઘાટન 

આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવશે અને તેમની આવકમાં વધારો કરશે. આનાથી પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓ અને ટોચની મહિલા દૂધ ઉત્પાદકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પશુપાલકોને પીએમ મોદીએ પાઠવી શુભકામના 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાબર ડેરીનો વિસ્તાર થઇ રહ્યો છે ત્યારે નવો ચીઝ પ્લાન્ટ સાબર ડેરીને મદદ કરશે. આ પ્રસંગે તેમણે તમામ પશુપાલકો અને ડિરેક્ટરોને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સાબર ડેરીની વાતમાં ભૂરાભાઇ પટેલની યાદ આવે જ. તેમણે વર્ષો પહેલાં શરૂઆત કરી હતી અને તેમણે લાખો પશુપાલકોનું જીવન સુધાર્યું હતું. સાથે PM મોદીએ જૂના સાથીઓને પણ યાદ કર્યા હતા.

ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ સુધી પહોંચ્યું 

ગુજરાતે કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. તેમાં ડેરી ઉદ્યોગે અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી છે. તથા ગુજરાત દેશનું એ રાજ્ય છે જ્યાં પશુઓ માટે હેલ્થકાર્ડ છે. પશુ આરોગ્યમેળાઓની પણ ગુજરાતથી શરૂઆત થઇ છે. ગામડામાં મિલ્ક ચીલિંગ પ્લાન્ટ ઉભા થયા છે. તે જ્યોતિગ્રામ યોજનાથી આ શક્ય બન્યુ છે. તથા ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ કરોડ સુધી પહોંચ્યુ છે. જેમાં દૂધ સમિતિમાં મહિલાઓનો સમાવેશ થાય છે.

સાબર ડેરીના કાર્યક્રમ બાદ PM ચેન્નાઈ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબર ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેમજ સાબર ડેરીનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નાઈ જશે. જેમાં ચેન્નાઈમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. અને 29 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પરત ફરશે. જેમાં 29 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન જશે. અને રાજભવનથી ગિફ્ટ સીટી ખાતે કાર્યક્રમમાં જશે. તેમાં ગિફ્ટ સીટીનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફરશે.

Back to top button