ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

ગુજરાત Corona Update : પોઝિટિવ કેસ કરતા સાજા થવાની સંખ્યા વધુ, જાણો આંકડા

Text To Speech
  • રાજ્યમાં કેસ ઘટતાં રાહત
  • 24 કલાકમાં કોરોનાના 231 કેસ નોંધાયા
  • 349 દર્દીઓ સાજા થયા
  • કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા

ગુજરાતમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. સોમવારે તો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે પોઝિટિવ કેસ કરતા તો રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ હતી. આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 231 કેસ નોંધાયા છે. જ્યારે 349 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.

ક્યાં જિલ્લામાં કેટલા કોરોનાના કેસ નોંધાયા ?

અમદાવાદ જિલ્લામાં 68, વડોદરા જિલ્લમાં 29, સુરત જિલ્લામાં 27, રાજકોટ જિલ્લામાં 23, સાબરકાંઠામાં 14, ભરૂચમાં 13, મોરબીમાં 11, ગાંધીનગર જિલ્લામાં 12, વલસાડમાં 6, અમરેલીમાં 5, કચ્છમાં 4, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, પંચમહાલમાં 3, પોરબંદરમાં 2,મહેસાણા અને નવસારીમાં એક એક કેસ નોંધાયો છે.

2214 એક્ટિવ કેસ, 11 દર્દી વેન્ટીલેટર પર

રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11055 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2214 એક્ટિવ કેસ છે. 11 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2204 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે.

Back to top button