ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 1100 પાર, અમદાવાદમાં આંકડો સૌથી વધુ

Text To Speech

રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત આજે 1100ને પાર પહોંચી ગયો છે, એટલે કે આજે 1128 કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1128 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 902 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6218 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6208 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,36,031 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,968 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

COVID 19 update 29 July

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 391 કેસ અને ત્રણના મોત નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 121, મહેસાણા 79, સુરત 64, સુરત કોર્પોરેશનમાં 52, ગાંધીનગર 51, કચ્છ 37, ગાંધીનગર કોર્પોરેશન 35, વડોદરા 31, રાજકોટ કોર્પોરેશન 29, ભરૂચ 22, રાજકોટ 22, વલસાડ 22, અમરેલી 16, ભાવનગર કોર્પોરેશન 16, નવસારી 15, પાટણ 15, મોરબી 14, બનાસકાંઠા 12, આણંદ 10, સાબરકાંઠા 10, એમ કુલ 1128 કેસ નોંધાયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,73,627 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3019 ને રસીનો પ્રથમ અને 10038 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 315 ને રસીનો પ્રથમ અને 2109 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 88870 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 4397 ને રસીનો પ્રથમ અને 3940 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 460939 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,55,60,693 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Back to top button