અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

સાવચેતી નહીં રાખો તો……

Text To Speech

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 810 દર્દીઓ સાજા થયા છે. તો, રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકા થઈ ગયો છે.

covid cases
covid cases

કયા જિલ્લામાં નથી નોંધાયો એક પણ કેસ ?

રાજ્યમાં હાલ 5,729 એક્ટિવ કેસ છે. જેમાંથી 15 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5,714 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,45,890 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,981 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, જૂનાગઢ અને મહિસાગર જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી.

કોર્પોરેશનમાં કેટલા નવા કેસ ?

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 261 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 91, સુરત કોર્પોરેશનમાં 37, સુરતમાં 29, રાજકોટ કોર્પોરેશનમાં 27, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભરૂચમાં 14, રાજકોટમાં 14, કચ્છમાં 13, અમરેલીમાં 12, ગાંધીનગરમાં 12, પાટણમાં 12, અરવલ્લીમાં 10, સાબરકાંઠામાં 10, પોરબંદરમાં 9, વડોદરામાં 8, આણંદમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 7, નવસારીમાં 7, વલસાડમાં 6, ખેડામાં 5, અમદાવાદમાં 4, જામનગર કોર્પોરેશનમાં 4, પંચમહાલમાં 4, સુરેન્દ્રનગરમાં 4, દાહોદમાં 3, મોરબીમાં 3, ભાવનગરમાં 2, જામનગરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગીર સોમનાથમાં 1, નર્મદામાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.

9 August COVID 19 Gujarat
9 August COVID 19 Gujarat

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 288 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 92, સુરત કોર્પોરેશનમાં 35, સુરતમાં 17, રાજકોટ કોર્પોરેશનમાં 31, મહેસાણામાં 35, બનાસકાંઠામાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 41, ભરૂચમાં 5, રાજકોટમાં 31, કચ્છમાં 27, અમરેલીમાં 20, પાટણમાં 26, અરવલ્લીમાં 6, સાબરકાંઠામાં 16, પોરબંદરમાં 1, વડોદરામાં 38, નવસારીમાં 15, વલસાડમાં 12, ખેડામાં 4, અમદાવાદમાં 7, જામનગર કોર્પોરેશનમાં 9, સુરેન્દ્રનગરમાં 3, મોરબીમાં 19, જામનગરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 15 અને તાપીમાં 1 દર્દીઓ સાજા થયા છે.

corona testing
corona testing

અત્યારસુધી કેટલા લોકોનું રસીકરણ ?

રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,53,910 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 543 ને રસીનો પ્રથમ અને 2,549 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 24 ને રસીનો પ્રથમ અને 92 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 12,921 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 88 ને રસીનો પ્રથમ અને 465 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 1,37,228 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,91,15,910 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Back to top button