ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

હવે ચેતજો ! નહીં તો વધશે સંક્રમણ

Text To Speech

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 692 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી વધુ બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.67 ટકા થઈ ગયો છે.

corona testing
corona testing

રાજ્યમાં હાલ 5,862 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5,843 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,45,080 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે કુલ 10,980 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

covid cases
covid cases

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 201 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 39, મહેસાણામાં 34, સુરતમાં 31, વડોદરા કોર્પોરેશનમાં 57, અમદાવાદમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 46, નવસારીમાં 18, સબરકાંઠામાં 7, ગાંધીનગરમાં 16, વડોદરામાં 25, બનાસકાંઠામાં 29, રાજકોટમાં 17, પાટણમાં 2, વલસાડમાં 6, મહિસાગરમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 5, મોરબીમાં 22, ભરૂચમાં 5, કચ્છમાં 20, પંચમહાલમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, તાપીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, ભાવનગરમાં 1, આણંદમાં 5, જામનગર કોર્પોરેશનમાં 13, અમરેલીમાં 1, અરવલ્લીમાં 12, પોરબંદરમાં 4, જામનગરમાં 3 અને ગીર સોમનાથમાં 1 કેસ નોંધાયો છે.

corona case
corona case

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 171 દર્દી સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 38, મહેસાણામાં 37, સુરતમાં 38, જૂનાગઢમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 48, અમદાવાદમાં 7, નવસારીમાં 21, સબરકાંઠામાં 15, ગાંધીનગરમાં 29, વડોદરામાં 25, બનાસકાંઠામાં 21, રાજકોટમાં 25, પાટણમાં 10, વલસાડમાં 12, મહિસાગરમાં 5, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 30, મોરબીમાં 12, ભરૂચમાં 10, ખેડામાં 3, કચ્છમાં 13, પંચમહાલમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 13, તાપીમાં 7, ભાવનગરમાં 7, આણંદમાં 21, જામનગર કોર્પોરેશનમાં 5 અમરેલીમાં 28, અરવલ્લીમાં 8, પોરબંદરમાં 2, જામનગરમાં 3 અને ગીર સોમનાથમાં 8 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,56,452 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1,057 ને રસીનો પ્રથમ અને 4,269 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 58 ને રસીનો પ્રથમ અને 366 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 20,023 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 179 ને રસીનો પ્રથમ અને 1,337 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,26,163 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,89,61,997 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Back to top button