અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગુજરાત ભાજપના નેતાઓએ મોદીની ગેરન્ટી નામે જાહેર થયેલા સંકલ્પપત્રના વખાણ કર્યા, જાણો કોણે શું કહ્યું

15 એપ્રિલ અમદાવાદ: અમદાવાદમાં ભાજપનાં પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે આગામી લોકસભા 2024 ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયો હતો. સંકલ્પ પત્રમાં 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. જેમાં CM ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

દેશના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર તૈયાર કરાયો
CM ભુપેન્દ્ર પટેલે સંકલ્પ પત્ર અંગે પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે, સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે. PM મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા પાંચમા નંબરે પહોચી છે. દેશની જનતાને મફત અનાજ યોજના જાહેર કરી છે તે આગામી સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ભાજપ એક એવી પાર્ટી છે કે જેની પાસે રાષ્ટ્રના વિકાસનો સંકલ્પ છે. રાષ્ટ્ર પ્રથમના સિંદ્ધાતથી ચાલતી પાર્ટી કોઇ હોય તો તે ભાજપ છે. વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાચુ કરી બતાવ્યુ છે. PM મોદીએ જે કાર્યનુ ભૂમિ પૂજન કરે તેનુ લોકાર્પણ પણ કરે અને જેટલુ કહ્યું તેટલુ કરી બતાવે છે તે જ મોદીની ગેરંટી છે. સંકલ્પ પત્ર 2024 દેશના દરેક વર્ગ, સમાજ, નાગરીકોના જીવનના પરિબળોને ધ્યાને રાખી તૈયાર કરવામા આવ્યું છે.

ભાજપ 400થી વધુ બેઠકો જીતશે: CM
ભુપેન્દ્ર પટેલે વધુમા જણાવ્યું કે, PM મોદીએ પીએમ સુર્ય ઘર યોજના થકી મફત વિજળી તેમજ દેશને ઓટો હબ, ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર હબ, વૈશ્વીક મેન્યુફેકચરિંગ હબ આંતકવાદ સામે ઝીરો ટોલરન્સ અને રમત ગમત ક્ષેત્રનો વિકાસ, વન નેશન વન ઇલેકશન, યુનિફોર્મ સિવિલ કોર્ડનો કાર્યો સુનિશ્ચિત કરશે. ભાજપ જે કહેવુ તે કરવુ તેવી વિકાસની નીતીને અનુસરે છે. ભાજપનો સંકલ્પ પત્ર ભાજપના સુશાસનનો વિઝન ડોક્યુમેન્ટ છે. આ સંકલ્પ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સાબિત થશે અને જનતા આ સંકલ્પ પત્રને વધાવશે અને મોદી સાહેબને ફરી એક વાર વડાપ્રધાન બનાવશે તેમજ 400 થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ છે.

મહિલાઓને 33% અનામત ઐતિહાસિક નિર્ણય: પાટીલ
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા મીડિયાને જણાવ્યું કે, સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી PM મોદીએ આપી છે. પહેલા સમાચારમાં હેડલાઇન બનતી કે આંતકવાદીઓએ નિર્દોશ વ્યકિતઓના જીવ લીધા પરંતુ વડાપ્રધાન મોદીના નેતૃત્વમા આંતકવાદની ઘટનાથી દેશને સુરક્ષીત રાખ્યો છે. તેમજ PM મોદીએ ગરીબ અને મધ્યમવર્ગ માટે મફત અનાજ આપવાની યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાની જાહેરાત કરી છે. દેશના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજનામા 70 વર્ષથી વધુ ઉમંરના વડિલોને લાભ મળે તે માટે જાહેરાત કરી છે. મહિલાઓની સુરક્ષા, અધિકારીઓનુ રક્ષણ, વિકાસ માટે અનેક યોજના દ્વારા દેશની મહિલાઓને વિશ્વાસ અપાવ્યો છે. વડાપ્રઘાન મોદીએ લોકસભા અને રાજયસભામા મહિલાઓને 33 ટકા અનામત આપવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. આજે ભારતની મહિલાઓ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની સિમાની સુરક્ષાનુ નેતૃત્વ પણ કરી રહી છે.

25 કરોડ લોકોને ગરિબી રેખાથી બહાર લાવ્યા: પાટીલ
સીઆર પાટીલે વધુમા જણાવ્યું કે, યુવાનો સ્વાવંબી બને તે માટે વગર વ્યાજની લોન મળે તે માટે યોજના જાહેર કરી છે. વડાપ્રધાન મોદી દેશના યુવાનોને લોન મળે તે માટે ગેરેંટર બન્યા. ખેડૂતો માટે આજદીન સુઘી કોઇ સરકારે યોજના જાહેર ન હતી કરી પરંતુ PM મોદીએ કિસાન સન્માન નિધી યોજના હેઠળ સિધા રૂપિયા તેમના ખાતામા જમા થાય તેની જાહેરાત કરી હતી આ યોજના પણ લંબાવી છે. યુનાઇટેડ નેશનના સર્વે પ્રમાણે પીએમ મોદીએ દેશમાંથી 25 કરોડ લોકોને ગરિબી રેખાથી બહાર લાવ્યા છે. 4 કરોડથી વધુ લોકોને મકાન આપ્યા છે તેમજ આ વખતે વધુ 3 કરોડ લોકોને પાકુ ઘર મળે તેની જાહેરાત કરી છે. વન નેશન વન ઇલેકશન અંગે જાણાવ્યું કે, દેશમા એક ચૂંટણી થાય જેના કારણે રૂપિયાનો અને સમયનો બગાડ થાય છે. તો તે માટે એક કમિટિ બનાવી અભિપ્રાય લેવામા આવ્યા છે, દરેક પાર્ટીઓ સાથે વાત કરી છે તે દિશામાં પણ આગળ વધવા વિશ્વાસ વ્યકત કર્યો છે.

Back to top button