ગુજરાત

11 દોષિતોની મુક્તિ પર બિલકિસબાનોના પતિનું છલકાયું દર્દ

Text To Speech

ગુજરાતમાં 2002માં બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારની હત્યાના તમામ 11 આજીવન કેદના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. બિલ્કીસ બાનોના પતિ યાકુબ રસૂલ પટેલ આ નિર્ણયથી નારાજ છે. તેમણે કહ્યું,આ દુર્ઘટનામાં અમે બધું ગુમાવી દીધું છે. યાકુબે કહ્યું હવે આ નિર્ણય બાદ તેમનો ડર વધી ગયો છે.

દોષિતોને નિર્દોષ જાહેર કર્યા

ગુજરાતના ગોધરામાં 2002ના રમખાણો પછી બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો.  હવે ગુજરાત સરકારે દોષિતોને પૂરવાના અભાવે નિર્દોષ છોડવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયની ટીકા પણ થઈ રહી છે. ગુજરાત સરકારના આ નિર્ણયને બિલકિસ બાનોના પતિ યાકુબ રસૂલ પટેલે ખોટો ગણાવ્યો છે.

બિલકીસના પતિએ શું કહ્યું?

બિલ્કીસના પતિ યાકુબે કહ્યું કે ઘરનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. આ નિર્ણયથી અમે બધા દુખી છીએ. તેમણે કહ્યું, અમે પહેલા પણ ભયના છાયામાં જીવતા હતા. પરંતુ હવે ગુનેગારો જેલમાંથી છૂટ્યા બાદ ભય વધુ વધી ગયો છે. તેમણે કહ્યું કે, અમને અત્યાર સુધી કોઈ સુરક્ષા મળી નથી, અમે અત્યાર સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા હતા. યાકુબે જણાવ્યું કે આરોપીઓને સજા મળ્યા બાદ તે અને તેનો પરિવાર શાંતિથી જીવી રહ્યા હતા. પણ હવે ડર વધી ગયો છે.આ દુર્ઘટનામાં અમે બધું ગુમાવી દીધું છે. અમારી ત્રણ વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો. આ દુર્ઘટના બિલ્કીસ સાથે થયો હતો. અમે હજી પણ અમારા પરિવારના સભ્યો માટે પ્રાર્થના કરીએ છીએ જેમણે પોતાનો જીવ ગુમાવ્યો. તેમણે કહ્યું કે, આ નિર્ણય પહેલા અમને ન તો કોઈ માહિતી આપવામાં આવી હતી અને ન તો અમને પૂછવામાં આવ્યું હતું. અમને ના તો વળતર આપવામાં આવ્યું હતું.

આ દોષિતોને છોડી મૂકવામાં આવ્યા હતા

આ કેસમાં જે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થાય છે.

Back to top button