ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં હરિયાળી : સેન્સેકસમાં 400 પોઈન્ટનો ઉછાળો

Text To Speech

મુંબઈ, 26 ડિસેમ્બર : શેરબજારમાં આજે કારોબારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. મજબૂત વૈશ્વિક સંકેતો અને એશિયન બજારોમાં સકારાત્મક વલણને કારણે, ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી 50માં આજે 400થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 23,800 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ગ્રુપના મોટાભાગના શેર લીલા નિશાન પર ખુલ્યા હતા.

નિફ્ટી બેંક 400.60 પોઈન્ટ અથવા 0.78 ટકા વધીને 51,633.60 પર હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 47 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 57,104.90 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 32.35 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 18,765 પર છે.

છેલ્લા સત્રમાં એટલે કે 24 ડિસેમ્બરે મંગળવારના રોજ 78,877.36ની દિવસની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ, સેન્સેક્સ 67.30 પોઈન્ટ અથવા 0.09 ટકાના ઘટાડા સાથે 78,472.87 પર બંધ થયો હતો, એ જ રીતે નિફ્ટી 50 25.80 પોઈન્ટ અથવા 7.216 ટકા ઘટીને બંધ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ક્રિસમસના અવસર પર બુધવારે ભારત સહિત અમેરિકન બજારો બંધ રહ્યા હતા. મંગળવારે S&P 500 1.10 ટકા વધીને 6,040 પર બંધ થયો હતો અને Nasdaq 1.35 ટકા વધીને 20,031.13 પર બંધ થયો હતો.

ઉપરાંત એશિયન બજારોમાં ચીન, બેંગકોક, સિયોલ અને જાપાનમાં લીલો કારોબાર થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 24 ડિસેમ્બરે રૂ. 2,454.21 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ એ જ દિવસે રૂ. 2,819.25 કરોડના શેર ખરીદ્યા હતા.

આ પણ વાંચો :- નવી નોકરીઓને લઈને સારા સમાચાર, EPFOએ ઓક્ટોબરમાં 13.41 લાખ નવા સભ્યો ઉમેર્યા

Back to top button