ગુજરાતટોપ ન્યૂઝ

નવસારી પાસે ગોઝારો અકસ્માત, 9 લોકોના મોત જ્યારે 28 ઘાયલ

Text To Speech
  • માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત,28 ઘાયલ
  • કાર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત
  • નવસારીના વેસ્મા પાસે ગમખ્વાર અકસ્માત

છેલ્લા થોડા સમયથી રોડ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યુ છે. ગતરોજ ભારતીય ક્રિક્રેટ ખેલાડી રિષભ પંતનો પણ રોડ અકસ્માત થયો. જેમા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ આવા જ માઠા સમાચાર નવસારીથી આવી રહ્યા છે.

નવસારીના વેસ્મા ગામ પાસે રોડ અકસ્માત સર્જાયો છે. હાઇવે પર વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ સર્જાયેલા આ અકસ્માતમાં આશરે 9ના મોત અને 28 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. લકઝરી બસના ચાલકને એટેક આવતાં અકસ્માત સર્જાયો છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવથી પરત ફરી રહી હતી આ બસ.

આ પણ વાંચો : સુરત : રિવરફ્રન્ટ ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ, આ રહેશે મુખ્ય આકર્ષણ

9 લોકોના મોત

મળતી માહિતી મુજબ નવસારીના વેસ્મા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ અને કાર વચ્ચેના આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં 11 વ્યક્તિને નવસારી અને 17 લોકોને વલસાડ ખાતે સારવાર માટે ખસેડાયા છે.

નવસારી પાસે ગોઝારો અકસ્માત - Humdekhengenews

બસ ચાલકને એટેક આવતાં સર્જાયો અકસ્માત

અહેવાલો મુજબ બસ ચાલકને એટેક આવતાં આ અકસ્માત સર્જાયો છે. ફોર્ચ્યુનર કાર અને લકઝરી બસ વચ્ચે ભયંકર અથડામણ સર્જાયી છે. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર તમામ 8 લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે પોલીસ તત્કાળ સ્થળ પર દોડી આવી હતી.

લકઝરી બસ અમદાવાદથી વલસાડ જતી હતી જ્યારે ફોર્ચ્યુનર કાર સુરતથી વલસાડ તરફ જઇ રહી હતી આ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે.

Back to top button