ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

PM મોદીના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા વ્યક્તિ દીઠ રૂ.100 ફાળવવાનો સરકારી ફરમાન: ડૉ.મનીષ દોશી

Text To Speech

મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થી દીઠ 5-7 રૂપિયા જેટલી નજીવી રકમ તથા આંગણવાડીના ભૂલકાઓ દીઠ 2 રૂપિયા ફાળવતી ભાજપ સરકાર પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થનાર-ભીડ એકત્ર કરવા વ્યક્તિ દીઠ 100 ફાળવવાનો સરકારી ફરમાન આપે છે તેમ કોંગ્રેસે આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદની આ બેઠક માટે ભાજપના સીટીંગ ધારાસભ્ય વિવાદોમાં આવતા નહીં મળે ટિકિટ!

મધ્યાહન ભોજન માટે ધોરણ એકથી પાંચ માટે 5 રૂપિયા

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થનાર-ભીડ એકત્ર કરવા વ્યક્તિ દીઠ 100 ફાળવવાના સરકારી ફરમાન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લાખો ગરીબ-શ્રમિક-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને મધ્યાહન ભોજન માટે ધોરણ એકથી પાંચ માટે 5 રૂપિયા અને છ થી આઠ માટે રૂપિયા 7 જેટલી નજીવી રકમ ફાળવવામાં આવી રહી છે. સાથોસાથ આંગણવાડીના નાના ભૂલકાને નાસ્તા માટે 2 રૂપિયા જેટલી નજીવી રકમ ફાળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જાણો શું છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, PM મોદી કરાવશે શુભારંભ

ભાજપા સત્તા મેળવવા માટે સરકારી તિજોરીના કરોડો રૂપિયા વેડફે છે

બીજી બાજુ દેખાવ પૂરતા સરકારી હકીકતમાં ભાજપ પક્ષના પ્રચાર કાર્યક્રમના ભાગરૂપે પ્રજાના પરસેવાના ટેક્સના નાણાં કાર્યક્રમમાં સામેલ કરવા પ્રત્યેક વ્યક્તિને ફૂડ પેકેટના 1૦૦ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવાના સરકારી ફરમાન થાય તે કેટલે અંશે વ્યાજબી? એક તરફ ગુજરાતમાં 45 ટકા બાળકો અને 55 ટકા મહિલાઓ કુપોષિત છે અને આ કુપોષણની લડાઈ માટે બાળકો વિદ્યાર્થીઓને સરકારી કાર્યક્રમના નામે ભાજપના પક્ષ પ્રચાર કાર્યક્રમમાં પ્રતિ વ્યક્તિ ફૂડ પેકેટના 100 રૂપિયા ફાળવણી દર્શાવે છે કે ગુજરાતબ ભવિષ્ય એવા બાળકો-વિદ્યાર્થીઓની ચિંતા કરવાની બદલે ભાજપા સત્તા મેળવવા-હડપવા માટે સરકારી તિજોરીને કરોડો રૂપિયા વેડફી રહી છે જેથી તેમના મળતીયાઓ તંદુરસ્ત રહે.

Back to top button